'આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી, હવે ત્યાં...', ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને કહ્યુ - મોદી સરકારથી સાવધ રહો
Asaduddin Owaisi: ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ સમુદાયના યુવાનોને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓથી સાવધ રહેવાની અપીલ કરી છે. તેમણે અયોધ્યાના રામ મંદિર પર પણ કટાક્ષ કર્યો હતો.
ઓવૈસીએ કહ્યું, દેશમાં મસ્જિદો આબાદ રહેવી જોઈએ. બાબરી મસ્જિદ અંગે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'જે જગ્યા પર છેલ્લા 500 વર્ષથી પવિત્ર કુરાન વાંચવામાં આવતું હતું તે હવે તેમના હાથમાં નથી. આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી છે.'

ઓવૈસીએ ભવાની નગરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, "યુવાઓ, હું તમને કહું છું, આપણે આપણી મસ્જિદ ગુમાવી દીધી છે અને તમે જોઈ રહ્યા છો કે ત્યાં શું થઈ રહ્યું છે. શું તમારા હૃદયમાં પીડા નથી થતી?"
ઓવૈસીએ કહ્યું, "આપણે 500 વર્ષ સુધી જ્યાં બેસીને કુરાનનું પઠન કર્યું તે જગ્યા આજે આપણા હાથમાં નથી. યુવાનો, તમે નથી જોતા કે ત્રણ-ચાર વધુ મસ્જિદોને લઈને એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં ગોલ્ડન મસ્જિદ પણ સામેલ છે. દિલ્હી પણ આમાં સામેલ છે? વર્ષોની મહેનત બાદ આજે આપણે આપણુ સ્થાન હાંસલ કર્યું છે. તમારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ."
ઓવૈસીએ કહ્યું, "યુવા મુસ્લિમોએ સતર્ક અને સંગઠિત રહેવું પડશે. પોતાનુ સમર્થન અને શક્તિ જાળવી રાખો. તમારી મસ્જિદોને આબાદ રાખો. શક્ય છે કે આ મસ્જિદો આપણી પાસેથી છીનવી લેવામાં આવે.''
ઓવૈસીએ કહ્યું, "હું આશા રાખું છું કે આજના યુવાનો, જે આવતીકાલના વૃદ્ધ વ્યક્તિ હશે, તેઓ તેમની આંખો આગળ રાખશે અને ગંભીરતાથી વિચારશે કે તેઓ પોતાને, તેમના પરિવારો, તેમના શહેર અને તેમના પડોશની કેવી રીતે મદદ કરી શકે છે, એકતા એ શક્તિ છે, એકતા એ આશીર્વાદ છે.''












Click it and Unblock the Notifications
