એર ઈન્ડિયાએ રોક્યુ ફ્લાઈટનુ બુકિંગ, DGCAએ જારી કર્યુ સર્ક્યુલર
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીની સલાહ બાદ પોતાની બધી ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ બંધ કરી દીધુ છે.
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીની સલાહ બાદ પોતાની બધી ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ બંધ કરી દીધુ છે. કંપનીના અધિકારીઓએ આની માહિતી આપી. તમને જણાવી દઈએ કે ઉડ્ડનયન મંત્રીએ શનિવારે કહ્યુ હતુ કે વિમાન કંપનીઓએ યાત્રી ઉડાનો શરૂ કરવા વિશે સરકરાના નિર્દેશ મળ્યા બાદ જ ટિકિટોનુ બુકિંગ શરૂ કરવુ ત્યારબાદ રવિવારે એરઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યુ કે તેણે બુકિંગ બંધ કરી દીધુ છે. કંપનીના અધિકારીઓએ રવિવારે જણાવ્યુ કે અમે બધી એડવાન્સ બુકિંગ બંધ કરી દીધી છે. કોઈ પણ યાત્રી જેમણે ટિકિટ બુક કરી હોય અને સંબંધિત ઉડાન રદ થઈ જાય તો એવા સમયમાં તે યાત્રીને બાદમાં ટિકિટ બુક કરાવવા માટે ક્રેડિટ વાઉચર આપવામાં આવશે.

વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયાએ આપ્યુ આ નિવેદન
જો કે ખાનગી કંપનીઓએ ચાર બાદની ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ હાલમાં બંધ કર્યુ નથી. વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયાએ કહ્યુ કે અત્યાર સુધી તેમને સરકાર તરફથી બુકિંગ ન કરવા અંગે લેખિતમાં કોઈ આદેશ મળ્યો નથી. આ અંગે અમે મંત્રાલયની નોટિસની રાહ જોઈશુ. અમે 3 મે સુધી ઉડાનો અને બુકિંગ બંધ રાખ્યુ છે પરંતુચાર મે અને ત્યારબાદની તારીખો માટે બુકિંગ સ્વીકારી રહ્યા છે. વિમાન કંપનીનુ કહેવુ હતુ કે મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે ત્યારે અમે બુકિંગ બંધ કરી દઈશુ.

ડીજીસીએ જારી કર્યુ સર્ક્યુલર
ત્યારબાદ ડીજીસીએ તરફથી રવિવારે સાંજે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ જેમાં એરલાઈનોને ટિકિટ બુક કરવાનુ ટાળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એરલાઈન્સોને એ પણ કહેવામાં આવ્યુ છે કે તેમણે પરિચાલન શરૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. એટલુ જ નહિ પરિચાલન શરૂ કરવા માટે તેમને કાયદેસર નોટિસ પણ આપવામાં આવશે.

હરદીપ સિંહ પુરીએ આપી હતી બુકિંગ બંધ રાખવાની સલાહ
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ મોડી રાતે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય એ સ્પષ્ટ કરે છે કે ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય ઉડાનોનુ પરિચાલન શરૂ કરવા વિશે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિમાન સેવા કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તે આ અંગે સરકારના નિર્ણય બાદ જ બુકિંગ શરૂ કરે. તમને જણાવી દઈએ કે એરઈન્ડિયાએ શનિવારે કહ્યુ હતુ કે 4 મે પછી ઘરેલુ અને 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે ટિકિટ બુકિંગની સુવિધા હશે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના એલાન બાદ એક ઈન્ડિયા સહિત દેશની બધી એરલાઈન્સની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ફ્લઈટ્સનુ પરિચાલન બંધ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
