NSA માટે પીએમ મોદીએ ફરીથી જતાવ્યો અજીત ડોવાલ પર ભરોસો, મળશે કેબિનેટ મંત્રીનો દરજ્જો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA માટે એક વાર ફરીથી અજિત ડોવાલ પર ભરોસો દર્શાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA માટે એક વાર ફરીથી અજિત ડોવાલ પર ભરોસો દર્શાવ્યો છે. માત્ર એટલુ જ નહિ રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ડોવાલના યોગદાનને જોતા આ વખતે સરકારે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. ડોભાલનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. 74 વર્ષીય ડોવાલને ઈન્ટેલીજન્સ અને કોવર્ટ ઑપરેશન્સની દુનિયામાં લીજેન્ડ ગણવામાં આવે છે. જે રીતે તે પોતાના ઈન્ટેલીજન્સ ઑપરેશન્સને અંજામ આપે છે તેના કારણે અમુક લોકો તેમને ભારતના જેમ્સ બોન્ડ પણ કહેવા લાગ્યા છે.

ઉરી સર્જીકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા
સપ્ટેમ્બર 2016માં જ્યારે ઉરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો તો સેનાએ એલઓસી પાર પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી. 28-29 સપ્ટેમ્બરે જ્યારે સેનાના કમાન્ડોઝ જ્યારે પોતાના મિશનને અંજામ આપી રહ્યા હતા તો તત્કાલીન આર્મી ચીફ જનરલ દલબીર સિંહ સુહાગ ઉપરાંત ડોવાલ આ સમગ્ર ઑપરેશન બારીકાઈથી નજર રાખી રહ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઈકને ભારતની નીતિમાં એક મોટો ફેરફાર ગણવામાં આવી રહ્યો હતો. વર્ષ 2014માં જ્યારે મોદી સરકારનો પહેલો કાર્યકાળ શરૂ થયો તો પીએમ મોદીએ ડોવા ને એનએસએ તરીકે પસંદ કર્યા. ડોવાલ નવ વર્ષ બાદ પોતાની ફરજ પર પાછા આવ્યા હતા. વિશેષજ્ઞ માને છે કે ડોવાલ ઈન્ટેલીજન્સ અને કોવર્ટ ઑપરેશન્સના લીજેન્ડ છે. ડોવાલ ભારતના પાંચમાં એનએસએ બન્યા. ડોવાલ 1965ના કેરળ કેડરના આઈપીએસ અધિકારી રહ્યા છે.

મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ
સપ્ટેમ્બર 2016 પહેલા ભારતની સેનાએ જૂન 2015માં મ્યાનમારમાં એક સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક બાદ ડોવાલનું નામ એક વાર ફરીથી સમાચારોમાં આવ્યુ હતુ. વર્ષ 1999માં જ્યારે પહેલી વાર ભાજપની આગેવાનીમાં એનડીએની સરકારને કેન્દ્રમાં જવાબદારી સંભાળી તો સરકારે કંદહાર હાઈજેક પ્રકરણનો સામનો કરવો પડ્યો. તેને ઉકેલવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એનએસએ ડોવાલ પર પોતાનો ભરોસો દર્શાવ્યો. ડોવાલ વાજપેયીના ઘણા ભરોસાપાત્ર માનવામાં આવતા હતા. હવે પ્રધાનમંત્રી મોદી માટે પણ ખાસ બની ગયા છે. 20 જાન્યુઆરી 1945ના રોજ ડોવાલનો જન્મ થયો હતો અને તેમના મેજર જીએન ડોવાલને સેનાના એક બેસ્ટ ઓફિસર માનવામાં આવતા હતા. ડોવાલ અજમેર મિલિટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને આગ્રા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી લીધી.

યુપીએ આપ્યુ રિટાયરમેન્ટ
ડોવાલ વર્ષ 2005માં ઈન્ટેલીજન્સ બ્યુરોના ચીફ હતા. પરંતુ યુપીએ તેમને ઈન્ટેલીજન્સ બ્યુરોના નિર્દેશક પદેથી રિટાયર કરી દીધા હતા. ત્યારબાદ તેમણે દિલ્લી સ્થિત વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન એટલે કે વીઆઈએફના પ્રમુખ તરીકે પોતાની જવાબદારી સંભાળી. ડોવાલે વર્ષ 1968માં નોર્થ ઈસ્ટમાં હાજર આતંકી તાકાતોને હરાવવા માટે છ લાલદેંગા અલગાવવાદી સંગઠનોને તૈયાર કર્યા હતા. 80ના દશકમાં દેશના નોર્થ-ઈસ્ટમાં સ્થિત સુંદર રાજ્ય મિઝોરમમાં મિજો નેશનલ ફ્રંટ કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ થઈને દેશ સામે ઘણા પ્રકારની ગતિવિધિઓમાં શામેલ થઈ ગયા. તેના ઘણા સભ્યો અંડરગ્રાઉન્ડ થઈને રાજ્યમાં અશાંતિ ફેલાવવા લાગ્યા. ડોવાલે એક રણનીતિ અપનાવી અને ટૉપ કમાન્ડર્સને અલગ કરી દીધા. 20 વર્ષોથી રાજ્યમાં જે અશાંતિનો માહોલ ચાલુ હતો તે ડોવાલની એક પહેલથી ખતમ થઈ શક્યો.

વાજપેયીએ શરૂ કર્યો હતો એનએસએનો ટ્રેન્ડ
ભારતમાં અત્યાર સુધી પાંચ એનએસએ થઈ ચૂક્યા છે. દેશમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર કે એનએસએ, પદની શરૂઆત નવેમ્બર 1998માં થઈ જ્યારે અટલ બિહારી વાજપેયી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે એ સમયે બ્રજેશ મિશ્રાને પોતાના એનએસએ નિયુક્ત કર્યા હતા. મિશ્રા 22 મે, 2004 સુધી દેશના એનએસએ રહ્યા. ત્યારબાદ 23 મે, 2004ના રોજ જે એન દીક્ષિતને યુપીએ સરકારમાં એનએસએ નિયુક્ત કરવામાં આવ્યા જે જાન્યુઆરી 2005 સુધી આ પદ પર રહ્યા. તેમના બાદ જાન્યુઆરી 2005માં એમ કે નારાયણનને એનએસએ નિયુક્ત કરવામાં આવ્યા અને તે 23 જાન્યુઆરી 2010માં રિટાયર થઈ ગયા. નારાયણન બાદ 24 જાન્યુઆરી 2010ના રોજ શિવશંકર મેનન એનએસએ બનાવવામાં આવ્યા અને તે 28મે 2014 સુધી એનએસએના પદ પર રહ્યા. 30મે 2014ના રોજ ડોવાલે આ પદ સંભાળ્યુ હતુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
