ગૃહમંત્રાલયે ઠુકરાવી કસાબની દયા અરજી

નોંધનીય છે કે કસાબે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી. આ પહેલા કસાબને સુપ્રિમ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
26/11 મામલે આરોપી સાબિત થનાર કસાબને પહેલા નીચલી અદાલતમાં મોતની સજા ફટકારવમાં આવી હતી. ત્યાર બાદ મુંબઇ હાઇકોર્ટે પણ કસાબને ફાંસીની સજા યથાવત રાખી હતી અને આખરે 29 ઓગસ્ટે સુપ્રિમ કોર્ટે પણ અન્ય બન્ને અદલાતના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
મુંબઇ પર આંતકવાદી હુમલા મામલે એકમાત્ર કસાબ જ જીવીત આરોપીની ધરપકડ કરી શકાઇ હતી. હુમલાને અંજામ આપવામાં સામેલ રહેલા અન્ય બન્ને આરોપીઓને સુરક્ષા કર્મીઓએ મારી નાંખ્યો હતા.












Click it and Unblock the Notifications
