અખિલેશે પોતાના વિધાયકોને કારણ બતાઓ નોટિસ ફટકારી

કેબિનેટ મંત્રી અને સપાના પ્રદેશ પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે મીડિયા દ્વારા રાજ્ય સરકારના કામકાજ પર ટીકા ટિપ્પણી કરવાથી પાર્ટીની છબિ ખરાબ થાય છે. પ્રદેશ અધ્યક્ષ અખિલેશ યાદવે વિધાયક રિઝવીને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.
કાનૂન વ્યવસ્થા પર ટિપ્પણી કરી સરકારની ટીકા કરનારા અને ઓરૈયાના વિધૂના વિસ્તારના વિધાયક પ્રમોદ ગુપ્તાની સામે અનુશાસનાત્મક કાર્યવાહી બાદ સપાના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવે વિધાયક રિઝવી પર સખત વલણ અપનાવી એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સરકારની ટીકા કરનારાઓને ક્યારેય સાખી લેશે નહીં.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વિધૂના વિસ્તારના વિધાયક પ્રમોદ ગુપ્તા દ્વારા પ્રદેશ સરકારના કામકાજની મીડિયા સમક્ષ ટીકા કરી હતી. જેના પર કાર્યવાહી કરતા અખિલેશે વિધાયક પ્રમોદ ગુપ્તાને સસ્પેન્ડ કરી દીધા હતા.












Click it and Unblock the Notifications
