ભારતની યુનિવર્સિટીના પુસ્તકમાં અલ કાયદાની કવિતાથી વિવાદ

યુનિવર્સિટીએ ઇબ્રાહિમ અલ રુબૈશ અંગે લખ્યું છે કે રુબૈશને અમેરિકાએ 2001માં પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સીમા નજીક પકડ્યા હતા. તેઓ આ સીમા પાસે ભણાવતા હતા. તેમને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓ ત્રણ માસની બાળકીના પિતા હતા. તેમને ગ્વાંતાનામો બે જેલમાં પાંચ વર્ષ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વર્ષ 2006માં અમેરિકામાંથી છોડીને સાઉદી અરબ મોકલી દેવામાં આવ્યા હતા.
રુબૈશની કવિતાને "પોયમ્સ ફ્રોમ ગ્વાંતાનામો : ધ ડિટેનીઝ સ્પીક" નામના કવિતા સંગ્રહમાં સામેલ કરવામાં આવી હતી. આ કવિતાસંગ્રહ વર્ષ 2007માં બેસ્ટસેલર બની રહ્યો હતો.
આ કવિતાને વર્ષ 2011માં અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી હતી. જો કે હવે અલ કાયદાનું નામ આવતા યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના પૂર્વ ચેરમેન અને વાયનાડના પઝસ્સી રાજા કોલેજમાં પ્રોફેસર કે રાજગોપાલેને જણાવ્યું કે "જ્યારે કવિતા સામેલ કરવામાં આવી ત્યારે ઇબ્રાહિમ અલ રુબૈશની પૃષ્ઠભૂમિની જાણ ન હતી. જો ત્યારે અમને જાણ થાત તો અમે કવિતાને સામેલ ન કરત."
જ્યારે બોર્ડ ઓફ સ્ટડીઝના વર્તમાન ચેરમેન પી મહેમૂદનું કહેવું છે કે કવિતાને અભ્યાસક્રમમાં ચાલુ રાખવી કે નહીં તે અંગે આવતા મહિને મળનારી બોર્ડની મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે. હવે યુનિવર્સિટીમાં જેમ જેમ આ વાતની ખબર પડી રહી છે તેમ તેમ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે કોઇ ખુલીને બહાર આવી રહ્યું નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
