યુપી વિધાન પરિષદના તમામ 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા!
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 13માંથી 9 ભાજપના અને 4 સમાજવાદી પાર્ટીના છે.
લખનૌ, 13 જૂન : ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનાર તમામ 13 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. 13માંથી 9 ભાજપના અને 4 સમાજવાદી પાર્ટીના છે.

નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, પ્રધાનો ચૌધરી ભૂપેન્દ્ર, દયાશંકર મિશ્રા દયાલૂ, જેપીએસ રાઠોડ ભાજપના ઉમેદવારોમાં હતા, જેઓ બિનહરીફ જીત્યા હતા. પ્રધાન નરેન્દ્ર કશ્યપ, પ્રધાન જસવંત સૈની અને પ્રધાન દાનિશ આઝાદ અંસારી પણ જીત્યા હતા. સપાના સ્વામી પ્રસાદ મૌર્ય અને મુકુલ યાદવે પોતપોતાની બેઠકો જીતી હતી. યાદવ સોબરન યાદવના પુત્ર છે, જેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ માટે કરહાલ બેઠક છોડી હતી.
કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીની સિરાથુ વિધાનસભા બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ સમાજવાદી પાર્ટીની પલ્લવી પટેલ સામે તેઓ હારી ગયા હતા. સ્વામી પ્રસાદ મૌર્યએ પણ તાજેતરની વિધાનસભાની ચૂંટણી ફાઝીલનગર બેઠક પરથી લડી હતી પરંતુ તેનો પરાજય થયો હતો. આ દરમિયાન આઝમ ખાનના નજીકના સાથી શાહનવાઝ ખાન શબ્બુ અને જસ્મિર અંસારીએ પણ વિધાન પરિષદની ચૂંટણી જીતી હતી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
