For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુર્શીદે કેમ્પના પુરાવા રજૂ કરતા, કેજરીવાલની હવા નીકળી

|
Google Oneindia Gujarati News

salman-khurshid
નવી દિલ્હી, 14 ઑક્ટોબર : કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદ સામે મૂકાયેલા આરોપો અંગે ખુલાસો કરવા 14 ઑક્ટોબર, 2012, રવિવારે બપોરે સલમાન ખુર્શીદ અને તેમના પત્ની લુઇસ ખુર્શીદે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. કોન્ફરન્સની શરૂઆતમાં જ ખુર્શીદે જણાવ્યું હતું કે આરોપો મારી પાર્ટી કોંગ્રેસની સામે નહીં પણ હું અને મારા પત્ની જે ટ્રસ્ટનું સંચાલન કરીએ છીએ તેની સામે લગાવવામાં આવ્યા છે. મારી સામે આરોપ લગાવનારા જુઠ્ઠાઓ છે. આ સંદર્ભમાં ખુર્શીદે પ્રાથમિક પુરાવાઓ રજૂ કરતા અરવિંદ કેજરીવાલે કરેલા હંગામાની હવા નીકળી ગઇ હતી.

કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદ અને તેમના પત્ની લુઇસ ખુર્શીદના મૌલાના આઝાદ ટ્રસ્ટમાં વિક્લાંગોને સહાયના નામે પૈસા પડાવવાનો પર્દાફાશ એક ખાનગી ટીવી ચેનલે કર્યો હતો. આ મુદ્દાને પકડીને અરવિંદ કેજરીવાલે સલમાન ખુર્શીદનું રાજીનામુ માંગ્યું હતુ.

પ્રેસ કોન્ફરન્સમાં ખુર્શીદે પર્દાફાશ કરનાર ચેનલ આજતક અને ઇન્ડિયા ટુડે ગ્રુપને બોલાવ્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે હું રસ્તે ચાલતા કોઇને પણ જવાબ આપવા માટે બંધાયેલો નથી. આમ છતાં તેઓ ખુલાસા માટે આવવા માંગતા હોય તો હું તેમને આવકારું છું. હું કોઇના પ્રશ્નોનો જવાબ આપવા નથી આવ્યો.

સલમાન ખુર્શીદે જણાવ્યું કે "હું સાબિત કરવા સક્ષમ છું કે મુખ્ય મુદ્દો ખૂબ સ્પષ્ટ છે. મુખ્ય મુદ્દો એ છે કે 71 લાખ રૂપિયા મારા ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા. તે યુપીમાં કેમ્પ માટે અપાયા હતા અને કેમ્પ યોજાયા ન હતા. આની સાથે સંકળાયેલો બીજો મુદ્દો એ છે કે આજતક અને ઇન્ડિયા ટુડેને એક ખાસ હિસ્સો વારંવાર ચલાવવા માટે જણાવાયું હતું."

તેમણે જણાવ્યું કે "લગભગ 8 કે 9 ઑક્ટોબરે અમને ઇન્ડિયા ટુડે ગ્રુપના અરૂણ પુરી તરફથી પત્ર દ્વારા સંપર્ક કરાયો. જેમાં ટ્રસ્ટ સંબંધિત કેટલાક ડોક્યુમેન્ટ તેમની પાસે હોવાનું જણાવાયું હતું. જેમાં યુપીની એક વ્યક્તિની એફિડેવિટ હતી. એ વ્યક્તિ આજે એફિડેવિટ કરવાની ના પાડે છે."

ખુર્શીદે કહ્યું "મારે કહેવું છે કે આ મુદ્દામાં મેનપુરીમાં જે બી સિંગે કેમ્પ યોજ્યો હતો તેના ફોટોગ્રાફ્સ પણ છે. જે પી સિંગ ત્યારે સંચાલક હતા. તેમાં વિકલાંગોને સાધાન આપવામાં આવ્યા હોવાનું પણ દર્શાવ્યું છે. આ ફોટોગ્રાફ મોર્ફ કરાયેલાં છે. આ 17-7-2010ના ફોટોગ્રાફ્સ છે. આ ફોટોગ્રાફ્સ જોઇને તમારે પ્રથમ નિર્ણય લેવાનો છે કે વાસ્તવિકતા શું છે? 28 જુલાઇ, 2010નો દૈનિક જાગરણનો પણ રિપોર્ટ છે. એક કેમ્પનું ઉદઘાટન મેં જાતે કર્યું હતું."

તેમણે કહ્યું, "મારી પાસે અહીં ત્રણ વ્યક્તિઓ છે જે તમને કહી શકશે કે કેમ્પ યોજાયા હતા. આપ પી સિંગ - બુંલંદ શહેર, અજય શુક્લા - બરેલી વગેરેએ કેમ્પ યોજ્યા હતા. અમારી પાસે કોણે કેમ્પ યોજ્યા હતા તેમનું સંપૂર્ણ લિસ્ટ છે."

ખુર્શીદે આગળ જણાવ્યું કે "બીજો મુદ્દો કેગ રિપોર્ટનો છે. આ ટ્રસ્ટના સ્થાપક મારા માતા - પિતા છે. જેઓ વધતી ઉંમરને કારણે બધે જઇ શકે એમ નથી. મારી બહેનો છે જે ધ્યાન રાખી શકે એમ નથી. યુટિલાઇઝેશન સર્ટિફિકેટ પણ છે."

આ અંગે તેમએ જણાવ્યું કે આ મુદ્દે દિલ્હી કોર્ટમાં આજતક અને ઇન્ડિયા ટુડે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે જે અંગેનો ચૂકાદો ટૂંક સમયમાં આવશે. કારણ કે અમારી પાસે બીજો વિકલ્પ ન હતો. આવનારા બે દિવસમાં બીજા કેસ પણ દાખલ કરવામાં આવશે.

English summary
All are layer who made allegations on me said Salman Khurshid in a press conference and give proof of camps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X