પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહિમ દોષિત, 17 જાન્યુઆરીએ સજા સંભળાવાશે
પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહીમ દોષિત
નવી દિલ્હીઃ પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પત્રકાર રામ ચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલામાં ગુરમીત રામ રહીમ સહિત તમામ 4 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, આ મામલામાં 17 જાન્યુઆરીએ સુનાવણી થશે. રોહતકની જેલમાં બંધ રામ રહીમની વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સુનાવણી કરવામાં આવશે. સાથે જ તમામ સુરક્ષાની વ્યવસ્થા કરી રાખી હતી. જેને ધ્યાનમાં રાખી હરિયાણામાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે પંજાબમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

હવે સજા સંભળાવાશે
અગાઉ રામ રહીમની સુનાવણીને લઈ પ્રશાસન પણ પરેશાન હતું. બે મહિલાઓના રેપ કેસમાં ફેસલો આવ્યા બાદ જેવી રીતે હિંસક ઘટના થઈ, તેને જોતા રામ રહીમને વીડિયો કોન્ફ્રેન્સ કરી સુનાવણીના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. ડેરા સમર્થકો બેકાબૂ થયા હોવાની આશંકાને કારણે હરિયાણા સરકારે પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં અપીલ કરી હતી.

17 જાન્યુઆરીએ સુનાવણી થશે
સાધ્વી દુષ્કર્મ મામલામાં ગુરમી રામ રહીમને સજા સંભળાવનાર જજ જગદીપ સિંહે આ હત્યાકાંડમાં 17 જાન્યુઆરીએ તમામ દોષિતોને સજા સંભળાવશે. આ કેસની સુનાવણી ગત અઠવાડિયે પૂર્ણ થઈ ગઈ હતી. 16 વર્ષ જૂના કેસમાં ફેસલા પહેલા ભટિંડા અને માણસા જિલ્લામાં લગભગ 15 કંપનીના 1200 જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. ફિરોજપુર, ફરીદકોટ, મોગા અને ફાજિલ્કામાં 700 જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. બરનાલાના બાજાખાના રોડ અને ધનૌલા રોડ સ્થિત ડેરા સાથે જોડાયેલ નામ ચર્ચાના ઘેરાની બહાર 50-50 સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ સતત ડેરમાં થનાર ખોટા કામોના સમાચાર છાપતા હતા. છત્રપતિના પરિવારે આ સંબંધમાં કેસ દાખલ કરાવ્યો હતો. જે બાદ 2003માં આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો જેમાં વર્ષ 2007માં સીબીઆઈએ ડેરા મુખ્યા ગુરમીત સિંહ રામ રહીમને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપી માનતાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
