ઓમિક્રૉનના જોખમથી અલાહાબાદ હાઈકોર્ટ પણ ચિંતિત, ચૂંટણી ટાળવાની પીએમને કરી અપીલ
દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
પ્રયાગરાજઃ દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીને થોડા મહિના ટાળવા માટે પણ ચૂંટણી આયોગને અપીલ કરી છે. સાથે જ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વાત પર વિચાર કરવા માટે કહ્યુ છે. અલાહાબાદ હાઈકોર્ટે રાજકીય પક્ષોને પણ અપીલ કરી છે કે તે ચૂંટણી પ્રચાર માટે રેલીઓ ના કરે અને ટીવી તેમજ સમાચાર પત્રોના માધ્યમથી જ પ્રચાર કરે.

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટીસ શેખર કુમાર યાદવે આ વાત આરોપી સંજય યાદવની જામીન અરજીનો સ્વીકાર કરવા દરમિયાન કરી. તેમણે કહ્યુ કે આજે હાઈકોર્ટમાં ચારસો કેસ સૂચિબદ્ધ છે. આ જ પ્રકારના કેસની સંખ્યા રોજ થાય છે. સુનાવણી દરમિયાન વકીલ નજીક ઉભા રહે છે અને કોરોના પ્રોટોકૉલનુ પાલન થતુ નથી. ઓમિક્રૉનનુ જખમ વધી રહ્યુ છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. એટલુ જ નહિ લગભગ છ હજાર કેસ સામે આવી રહ્યા છે. સતત સંક્રમણના કેસ વધી રહ્યા છે. ઘણા દેશો ચીન, નેધરલેન્ડ, આયરલેન્ડ, જર્મની, સ્કૉટલેન્ડે આંશિક લૉકડાઉન પણ લગાવી દીધુ છે. ગઈ લહેરાં દેશમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ગ્રામ પંચાયત ચૂંટણી, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા.
નોંધનીય વાત એ છે કે યુપીમાં આવતા મહિને ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. રાજકીય દળો લાખોની ભીડ એકઠી કરી રહ્યા છે અને રેલીઓ કરી રહ્યા છે. એવામાં ત્રીજી લહેરનુ જોખમ સતત વધી રહ્યુ છે. જેને જોઈને હાઈકોર્ટે ચૂંટણી કમિશનને અનુરોધ કર્યો છે કે તે આ પ્રકારની રેલીઓ અને ભીડ એકઠી થવા પર રોક લગાવે. આ સંભવ ના હોય તો ચૂંટણીને એક-બે મહિના માટે ટાળી દે, જીવન રહેશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ થતી રહેશે. જીવનનો અધિકાર દેશના બંધારણમાં આર્ટિકલ 21માં પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીની પ્રશંસા કરીને કોર્ટે કહ્યુ કે તેમણે દેશમાં આટલુ મોટુ મફત રસીકરણ અભિયાન ચલાવ્યુ, અમારી તેમને અપીલ છે કે કડક પગલાં લે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
