અલાહાબાદ હાઈકોર્ટેનો બકરી ઈદની કુરબાની પર મોટો આદેશ, ખુલશે સ્લોટર હાઉસ
બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે.
બકરી ઈદ એટલે કે ઈદ-ઉલ-અજહાના પર્વ નિમિત્તે મોટા જાનવરોની કુરબાની માટે હાઈકોર્ટમાં દાખલ યાચિકા પર સુનાવણી કરતા મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યુ છે કે મોટા જાનવરોની કુરબાની માટે ત્રણ દિવસ સુધી સ્લોટર હાઉસ ખોલવામાં આવશે. હાઈકોર્ટે જિલ્લાધિકારી અલાહાબાદને નિર્દેશ આપ્યા છે કે 22 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી જાનવરોની કરબાની સ્લોટર હાઉસમાં થશે જેના માટે વ્યવસ્થા કરવામાં આવે.

શું છે મામલો
બકરી ઈદના તહેવાર પર મોટા જાનવરોની કુરબાની માટે ગયા મહિને મુસ્લિમ સમાજના લોકો જિલ્લાધિકારી તેમજ શાસન પાસે સ્લોટર હાઉસ ખોલવાની માંગ કરી રહ્યા હતા. સતત બેઠકો અને ઘણા પ્રતિનિધિમંડળોએ મોટા અધિકારીઓ તેમજ સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી. જેના પર આશ્વાસન તો મળ્યુ હતુ પરંતુ હજુ સુધી કોઈ પહેલ શરૂ થઈ નહોતી. હવે જ્યારે બકરી ઈદનો તહેવાર નજીક હતો ત્યારે કોઈ રસ્તો ન દેખાતા મુસ્લિમ સમાજે લોકોને અલાહાબાદ હાઈકોર્ટની શરણ લીધી. જનહિત યાચિકા દાખલ કરતા સ્લોટર હાઉસ ખોલીને મોટા જાનવરોને સ્લોટર હાઉસ સુધી લઈ જવા તેમજ કુરબાની બાદ તેને ઘર સુધી લઈ જવા માટે મંજૂરી આપવાની માંગ કરી હતી. યાચિકામાં આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલિસ સુરક્ષાની માંગ પણ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે મુસ્લિમ સમાજને રાહત આપતા તેમની માંગ પૂરી કરવા માટે જિલ્લા અધિકારીને નિર્દશો આપ્યા છે.
હાઈકોર્ટમાં શું થયુ
અલાહાબાદ હાઈકોર્ટમાં જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ દયાશંકર ત્રિપાઠીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી. કોર્ટમાં બકરી ઈદ પર હંમેશા અપીતી કુરબાની તરીકે જૂના સ્લોટર હાઉસના પુરાવા, ધાર્મિક કથા તેમજ જૂની માન્યતાઓની દલીલો કરવામાં આવી. કુરબાનીના ધાર્મિક મહત્વની આજીજી બાદ હાઈકોર્ટે સરકારનો પણમ પક્ષ જાણવા ઈચ્છ્યો અને કોઈ ઠોસ આપત્તિ ના હોવા બાદ હાઈકોર્ટે અલાહાબાદના સ્લોટર હાઉસમાં મોટા જાનવરોની કુરબાનીની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટે યાચિકામાં કરેલી માંગ અનુસાર પોલિસ સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશો આપ્યા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
