કેન્દ્ર સરકાર પર દિલ્હી સરકારના કાર્યક્રમને હડપી લેવાનો આરોપ, જાણો શું છે પુરો મામલો?
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, શનિવાર (23 જુલાઈ)ના રોજ વડાપ્રધાન કાર્યાલયની સૂચના પર પોલીસ મોકલીને દિલ્હી સરકારના કાર્યક્રમને કબજે લેવામાં આવ્યો હતો.
નવી દિલ્હી : દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, શનિવાર (23 જુલાઈ)ના રોજ વડાપ્રધાન કાર્યાલયની સૂચના પર પોલીસ મોકલીને દિલ્હી સરકારના કાર્યક્રમને કબજે લેવામાં આવ્યો હતો. તેને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો. મંત્રીએ આરોપ લગાવ્યો કે આસોલા વન્યજીવ અભયારણ્યમાં દિલ્હી સરકારની કામગીરીને કેન્દ્ર દ્વારા પોલીસ મોકલીને હાઇજેક કરવામાં આવી છે.

મંત્રી ગોપાલ રાયે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ અધિકારીઓએ ગઈકાલે રાત્રે સ્થળ પર 'વન મહોત્સવ' કાર્યક્રમના પહેલાથી સ્થાપિત બેનરો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા બેનરો ચોંટાડ્યા હતા. રાયે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન કાર્યાલયે દિલ્હી પોલીસને કાર્યક્રમને બગાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ તેઓ હવે તેમાં હાજરી આપશે નહીં.
મંત્રી રાયે પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેજરીવાલ સરકાર દ્વારા આયોજિત વન મહોત્સવ આજે સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી સાહેબની હાજરીમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગઈકાલે રાત્રે વડાપ્રધાન કાર્યાલયની સૂચના પર પોલીસ મોકલવામાં આવી હતી.
તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ પીએમ મોદીની તસવીરોવાળા બેનરોને સ્પર્શ ન કરે. રાયના જણાવ્યા અનુસાર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને સીએમ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા અને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ગોપાલ રાયે કહ્યું, અમે લડવા નથી માંગતા પરંતુ સરકારી કાર્યક્રમને રાજકીય બનાવી દેવામાં આવ્યો હતો, તેથી હું અને સીએમ બંને નથી જઈ રહ્યા." જણાવી દઈએ કે 11 જુલાઈથી દિલ્હીમાં 'વન મહોત્સવ' કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજે (24 જુલાઈ) કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો.












Click it and Unblock the Notifications
