દિલ્હી: જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રીને મંજુરી, LGએ ઇમામ સાથે કરી વાત
જામા મસ્જિદમાં એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણયને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ બુખારી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઈમામ બુખારીને અપીલ કરી
જામા મસ્જિદમાં એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણયને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ બુખારી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ઈમામ બુખારીને અપીલ કરી છે કે તેઓ જામા મસ્જિદમાં એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણય પર પુનર્વિચાર કરે. ઇમામ બુખારીએ સંમતિ આપી છે કે તેઓ આ નિર્ણય પાછો ખેંચી લેશે. જામા મસ્જિદની મુલાકાત લેતા પ્રવાસીઓ તેનું સન્માન કરે અને મસ્જિદની પવિત્રતાનું ધ્યાન રાખે.
શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ જામા મસ્જિદમાં અવિવાહિત મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધના નિર્ણય બાદ કહ્યું કે છોકરીઓ અહીં એકલી આવે છે, તેમના મિત્રોની રાહ જોતી હોય છે. આ જ કારણ છે કે મસ્જિદની અંદર એકલી છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મસ્જિદ આવા કામ માટે નથી, તે કોઈ પાર્ક નથી એવું લોકોએ સમજવું જોઈએ. જામા મસ્જિદ એક પૂજા સ્થળ છે, જે પણ અહીં પૂજા માટે આવવા માંગે છે તેનું સ્વાગત છે. મસ્જિદમાં પઢવા આવનારી મહિલાઓ પર કોઈ પ્રતિબંધ નથી.
બુખારીએ કહ્યું કે મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા પૂજા સ્થાન છે, પૂજા માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. પરંતુ અહીં 20-25 છોકરીઓ આવીને અન્યની રાહ જુએ છે. આને મંજૂરી આપી શકાય નહીં. બીજી તરફ જામા મસ્જિદના નિર્ણય પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે તેની સરખામણી ઈરાન સાથે કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓને પુરૂષોની જેમ પૂજા કરવાનો અધિકાર છે, હું આ નિર્ણય વિરુદ્ધ જામા મસ્જિદને નોટિસ મોકલી રહ્યો છું.