નીતિશ કુમારની સાથે બે ડેપ્યૂટી સીએમ પણ શપથ લેશે, આ નેતાઓ મંત્રી બનશે
નીતિશ કુમારની સાથે બે ડેપ્યૂટી સીએમ પણ શપથ લેશે, આ નેતાઓ મંત્રી બનશે
પટનાઃ જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર આજે સાતમી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમ્યાન બિહારમાં નીતિશ સાથે કયા કયા નેતા મંત્રી પદના શપથ લેશે તે વાતને લઈ ગરમાગરમીનો માહોલ છે. એનડીટીવી મુજબ જેડીયૂના ખાતામાંથી નીતિશ કુમાર ઉપરાંત વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, શીલા મંડલ અને મેવાલાલ ચૌધરી શપથ લઈ શકે છે. આજે પંદર લોકો શપથ લેશે. નીતિશ કુમાર ઉપરાંત ભાજપના કોટાથી બે નાયબ મુખ્યમંત્રી (તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી) શપથ લેશે. આ ઉપરાંત હમથી સંતોષ માંઝી અને વીઆઈપીથી મુકેશ મલ્લાહ શપથ લેશે. ભાજપના કોટાથી મંગલ પાંડે, જીવેશ મિશ્રા, રામપ્રીત પાસવાન, અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને રામસૂરત રાય શપથ લેશે.

જ્યારે બીજી તરફ બિહારમાં નાયબ મુખ્યમંત્રીને લઈને પણ હજી સસ્પેન્સ બનેલું છે. સૂત્રો મુજબ ભાજપના ખાતામાંથી બે ડેપ્યૂટી સીએમ અને વિધાનસભા અધ્યક્ષનું પણ પદ આવ્યું છે. કટિહારથી ભાજપના ધારાસભ્ય તારકિશોર પ્રસાદ અને ભાજપી નેતા રેણુ દેવીને ડેપ્યૂટી સીએમ બનાવવા અને સુશીલ મોદીને કેન્દ્રીય મંત્રિમંડળમાં જગ્યા આપવાની ચર્ચા જોર પર છે.
નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં કેટલાય મોટા ભાજપી નેતાઓ હાજરી આપે તેવી સંભાવના છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
આ દરમ્યાન ભાજપી નેતા તારકિશોર પ્રસાદે એએઆઈને કહ્યું કે, 'ભાજપી નેતા રણુ દેવી બિહારમાં નાયબ મુખ્યમંત્રીના શપથ લેશે તેવા સંકેત છે.' જ્યારે ભાજપના નેતા રેણુ દેવીએ કહ્યું કે, 'આ બહુ મોટી જવાબદારી છે. જો લોકોએ અમને ચૂંટ્યા છે અને એનડીએ પર ભરોસો જતાવ્યો છે, તો અમે તેમની ઉમ્મીદોને પૂરી કરવા માટે મળીને કામ કરીશું.'
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
