‘હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'
રાજ્યસભા સાંસદ અમરસિંહે કહ્યુ કે હિંદુત્વ હજુ વિભાજિત છે જો એકતા થઈ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે.
રાજ્યસભા સાંસદ અમરસિંહે કહ્યુ કે હિંદુત્વ હજુ વિભાજિત છે જો એકતા થઈ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે. અમરસિંહે કહ્યુ કે હિંદુત્વથી તેમનો મતલબ માત્ર હિંદુઓથી નથી પરંતુ દેશભક્ત મુસલમાનોને પણ તેઓ આમાં શામેલ કરે છે. અમરસિંહે રામપુરમાં ગુરુવારે આ વાતો કીધી. સપા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આઝમખાન પણ રામપુરના જ છે.

આઝમ ખાન પર નિશાન સાધ્યુ
અમરસિંહે કહ્યુ કે આઝમ ખાનને હિંદુ ધર્મ નહિ સંસ્કૃતિ લાગતી હોય અને કાશ્મીર તેમને વિવાદિત મુદ્દો લાગતો હોય તો હું ચૂપ ન રહી શકુ. સિંહે કહ્યુ કે મારી દીકરીઓ માટે આપેલા નિવેદન પર આઝમને માફી માંગવી જોઈએ. હું આ વિશે મુખ્યમંત્રીને કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યો છુ. તેમણે કહ્યુ કે આઝમ ખાન તેમની પણ હત્યા કરાવી શકે છે.

પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો
અમરસિંહની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અહીં ઘણો હોબાળો થયો. આ દરમિયાન મારામારી પણ થઈ. અમરસિંહે જ્યારે આઝમ ખાનને ‘ખાન સાહેબ' કહીને સંબોધિત કરવાનું શરૂ કર્યુ તો પત્રકાર ગેલેરીમાંથી એક વ્યક્તિએ આના પર વાંધો દર્શાવ્યો. ત્યારબાદ અમરસિંહના સમર્થક અને તે વ્યક્તિ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. જોતજોતામાં પ્રેસ કોન્ફરન્સમાં અફડાતફડીનો માહોલ થઈ ગયો. હોબાળો વધતો જોઈને અમરસિંહ પ્રેસ કોન્ફરન્સ છોડીને જતા રહ્યા. સ્થળ પર પહોંચેલી પોલિસે અમરસિંહને બહાર કાઢ્યા.

આઝમ ખાનથી મારી દીકરીઓને જોખમ
અમરસિંહે આ પહેલા બુધવારે લખનઉમાં આઝમ ખાનથી પોતાની દીકરીઓને જીવનું જોખમ હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે અમરસિંહે બુધવારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાયક અને સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી. અમરસિંહે રાજ્યપાલ અને સીએમ યોગીને મળીને આઝમ ખાનની ફરિયાદ કરીને ફરિયાદ પત્ર સોંપ્યો હતો.
-
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર












Click it and Unblock the Notifications
