Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ

અમરનાથ યાત્રાળુઓ માટે વરસાદ વિલન બની રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શને પહોંચેલા ભક્તો સતત ત્રીજા દિવસે રસ્તામાં રોકવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે.

ભારતે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંથયાલ ટનલ પાસે રોડનો એક ભાગ ધસવાને કારણે હાઈવે બ્લોક થયો છે. હાઈવે બ્લોક થવાને કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. હાલ જમ્મુના ભગવતનગર યાત્રી નિવાસથી કોઈપણ યાત્રીને આગળ વધવાની મંજૂરી નથી અપાઈ રહી.

Amarnath Yatra

કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મેં ઉત્તરી કમાન્ડના લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ ડૉ. મનદીપ ભંડારી સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. બંને વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

તેમણે આગળ જણાવ્યુ કે, ગુરુવારે રાતથી જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને મહાગુન ટોપ અને અમરનાથ ગુફા તીર્થની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થળોએ જુલાઈમાં 24 કલાકના ગાળામાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે.

જણાવી દઈએ કે, જમ્મુ અને રામબન જિલ્લાના યાત્રી નિવાસમાં લગભગ 6000, સાંબામાં 1200, કઠુઆમાં 1100 અને ઉધમપુર જિલ્લામાં 600 શ્રદ્ધાળુઓને રોકી રખાયા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે જમ્મુ વિભાગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X