ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
અમરનાથ યાત્રાળુઓ માટે વરસાદ વિલન બની રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શને પહોંચેલા ભક્તો સતત ત્રીજા દિવસે રસ્તામાં રોકવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે.
ભારતે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંથયાલ ટનલ પાસે રોડનો એક ભાગ ધસવાને કારણે હાઈવે બ્લોક થયો છે. હાઈવે બ્લોક થવાને કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. હાલ જમ્મુના ભગવતનગર યાત્રી નિવાસથી કોઈપણ યાત્રીને આગળ વધવાની મંજૂરી નથી અપાઈ રહી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મેં ઉત્તરી કમાન્ડના લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ ડૉ. મનદીપ ભંડારી સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. બંને વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, ગુરુવારે રાતથી જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને મહાગુન ટોપ અને અમરનાથ ગુફા તીર્થની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થળોએ જુલાઈમાં 24 કલાકના ગાળામાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે.
જણાવી દઈએ કે, જમ્મુ અને રામબન જિલ્લાના યાત્રી નિવાસમાં લગભગ 6000, સાંબામાં 1200, કઠુઆમાં 1100 અને ઉધમપુર જિલ્લામાં 600 શ્રદ્ધાળુઓને રોકી રખાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે જમ્મુ વિભાગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
