ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
અમરનાથ યાત્રાળુઓ માટે વરસાદ વિલન બની રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શને પહોંચેલા ભક્તો સતત ત્રીજા દિવસે રસ્તામાં રોકવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે.
ભારતે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંથયાલ ટનલ પાસે રોડનો એક ભાગ ધસવાને કારણે હાઈવે બ્લોક થયો છે. હાઈવે બ્લોક થવાને કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. હાલ જમ્મુના ભગવતનગર યાત્રી નિવાસથી કોઈપણ યાત્રીને આગળ વધવાની મંજૂરી નથી અપાઈ રહી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મેં ઉત્તરી કમાન્ડના લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ ડૉ. મનદીપ ભંડારી સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. બંને વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, ગુરુવારે રાતથી જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને મહાગુન ટોપ અને અમરનાથ ગુફા તીર્થની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થળોએ જુલાઈમાં 24 કલાકના ગાળામાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે.
જણાવી દઈએ કે, જમ્મુ અને રામબન જિલ્લાના યાત્રી નિવાસમાં લગભગ 6000, સાંબામાં 1200, કઠુઆમાં 1100 અને ઉધમપુર જિલ્લામાં 600 શ્રદ્ધાળુઓને રોકી રખાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે જમ્મુ વિભાગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
