અંબાણી બંધુઓ આગામી દિવસોમાં કરોડોના કરાર કરશે

આ સમજૂતીનું મૂલ્ય રૂપિયા 3600થી 4500 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં સંપૂર્ણ કનેક્ટિવિટી હાંસલ કરવાની દિશામાં આ બંને કંપનીનો કરાર મહત્વનું પગલું ગણાય છે.
ભારતભરમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સના 50,000 ટેલિકોમ ટાવર છે. રિલાયન્સ જિયો આ વર્ષના ડિસેંબરમાં પોતાની ટેલિકોમ સેવાઓ શરૂ કરે એવી ધારણા છે. તેને એના ચાર-પાંચ મહિના પૂર્વે ટાવર નેટવર્ક મેળવવાની જરૂર પડશે.
અંબાણી ભાઈઓએ આ જ મહિનાના આરંભમાં ઓપ્ટિક ફાઈબર નેટવર્કના ઉપયોગ માટેની સમજૂતી કરી હતી. મોટા ભાઈ મુકેશ અંબાણીએ તેમના મોબાઈલ વેન્ચર માટે અનિલની કંપનીના ઓપ્ટિક ફાઈબર નેટવર્કનો ઉપયોગ કરવા માટે સમજૂતી કરી હતી. બંને ભાઈ તેમના પિતાએ નિર્માણ કરેલા બિઝનેસ સામ્રાજ્યનું આઠ વર્ષ પહેલાં વિભાજન કરીને છૂટા પડ્યા હતા.












Click it and Unblock the Notifications
