For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરઃ ચંદેલમાં મ્યાનમાર સીમા પર અસમ રાઈફલ્સના જવાનો પર હુમલો, અમુક જવાન શહીદ

મણિપુરના ચંદેલથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલાની માહિતી છે.

|
Google Oneindia Gujarati News

મણિપુરના ચંદેલથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. અહીં અસમ રાઈફલ્સના જવાનો પર હુમલાની માહિતી છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ત્રણ જવાન હુમલામાં શહીદ થઈ ગયા છે. વળી, પાંચ જવાન ઘાયલ છે. આમાંથી ચાર અસમ રાઈફલ્સનો વધુ એક જવાન છે. ઘટના ભારત-મ્યાનમાર બૉર્ડર પાસે બની છે. ઉલ્લેખનીય છે કે ચંદેલ એ જ જગ્યા છે જ્યાં પાંચ વર્ષ પહેલા જૂન 2015માં સેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. એ હુમલામાં 17 જવાન શહીદ થઈ ગયા હતા.

china-north east

સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે 4 અસમ રાઈફલ્સની કોબરા પાર્ટી પર સ્થાનિક આતંકી સંગઠન પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)એ આઈઈડી બ્લાસ્ટમાં નિશાન બનાવ્યા છે. આતંકીઓ તરફથી ફાયરિંગમાં પણ કરવામાં આવી જેમાં ત્રણ જવાન ઘટના સ્થળે જ શહીદ થઈ ગયા છે. જ્યારે બાકી જવાનોને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા યુરોપિયન થિંક ટેન્ક તરફથી કહેવામાં આવ્યુ છે કે ચીન, મ્યાનમારના આતંકીઓને હથિયાર આપીને ભારતના નૉર્થ ઈસ્ટમાં મોટા ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં છે.

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ સુશાંતની હત્યા થઈ છે, બતાવ્યા 26 મોટા કારણોભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ સુશાંતની હત્યા થઈ છે, બતાવ્યા 26 મોટા કારણો

English summary
Ambush on Assam Rifles personnel in Chandel near Myanmar border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X