For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ માન્યું, આર્ટિકલ 370 હટ્યા પછી આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ને નાબૂદ કર્યા બાદ અમેરિકાએ એ વાતની ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનના આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ને નાબૂદ કર્યા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનના આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે. ખરેખર જે રીતે આર્ટિકલ 370 ને નાબૂદ કરવામાં આવ્યો ત્યારબાદ બાદ ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં આતંકવાદી હુમલો કરી શકે છે. અમેરિકાએ પણ તમામ દેશોની આ ચિંતાને સ્વીકારી છે અને કહ્યું છે કે જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને નિયંત્રણમાં રાખે તો ભારત પરના સંભવિત હુમલાઓને રોકી શકાય છે.

પાક આતંકીઓ હુમલો કરી શકે છે

પાક આતંકીઓ હુમલો કરી શકે છે

સિક્યુરિટી ફોર ઈન્ડિયા પેસિફિક માટે સહાયક સંરક્ષણ પ્રધાન રેન્ડલ શાઈવરે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે વૉશિંગ્ટનના લોકોને કહ્યું છે કે કાશ્મીર અંગેના ચુકાદા બાદ વિશ્વના ઘણા દેશોમાં ડર છે કે આતંકવાદી જૂથો સરહદ પારથી આતંકવાદી હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે ચીન આવા કોઈ પણ સંઘર્ષનું સમર્થન કરશે નહીં કે તે આવા કોઈ સંઘર્ષની ઇચ્છા કરશે. કાશ્મીર મુદ્દે પૂછેલા સવાલના જવાબ આપતા તેમણે આ નિવેદન આપ્યું છે

ચીન તેનું સમર્થન નહીં કરશે

ચીન તેનું સમર્થન નહીં કરશે

પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ચીને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. જો કાશ્મીર મુદ્દો યુએનમાં ઉઠાવવો જોઇએ કે નહીં તે અંગે ચર્ચા થાય તો ચીન તેનું સમર્થન કરી શકે છે.પરંતુ આ સિવાય, જો કોઈ કંઈક કરવા માંગે છે, તો મને નથી લાગતું કે ચીન તેનું સમર્થન કરશે. ચીનનો પાકિસ્તાન સાથે ખૂબ જ લાંબો સંબંધ છે, તેનો ભારત સાથે પ્રતિસ્પર્ધા છે. ભારત ચીન સાથે સ્થિર સંબંધ ઇચ્છે છે.

5 ઓગસ્ટના રોજ નાબૂદ કરવામાં આવ્યો આર્ટિકલ 370

5 ઓગસ્ટના રોજ નાબૂદ કરવામાં આવ્યો આર્ટિકલ 370

જણાવી દઈએ કે 5 ઓગસ્ટે ભારતે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યો હતો. ત્યારથી જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યા છે. જે બાદ રાજ્યમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરાયા હતા. પરંતુ થોડા દિવસો બાદ શ્રીનગર સિવાયના અન્ય સ્થળોએ ઢીલ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ 5 કરોડ લોકોનો જીવ લેશે

English summary
America believes terrorists can attack India after Article 370 is removed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X