જનતાએ નિર્ણય કરી લીધો છે કે લૂંટારૂઓને તક નહીં આપીએ: મોદી
ઉધમપુર, 28 નવેમ્બર: જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં આતંકવાદી હુમલા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષાની વચ્ચે ઉધમપુરમાં ચૂંટણી સભાને સંબોધીત કરી હતી. વડાપ્રધાનને સાંભળવવા માટે ભારે સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. મોદી લહેર અત્રે પણ જોવા મળી હતી. આવો જોઇએ વડાપ્રધાને પોતાના ભાષણમાં શું કહ્યું-

વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશો...
- પહેલા તબક્કામાં લોકોએ ભારે મતદાન કરીને લોકતંત્રને મજબૂત કર્યું છે.
- ભારે બહુમતીથી આતંકવાદીઓ ભયભીત થઇ ગયા છે.
- જ્યારે પણ દુનિયાનો કોઇ નેતા મોદી સાથે આંખ મિલાવે છે તો તેને મોદી નહીં સવા સૌ કરોડ ભારતીયોનો ચહેરો દેખાય છે.
- આખો દેશ આપને શુભેચ્છા આપી રહ્યો છે.
- દુનિયાને ખૂબ જ મોટો સંદેશ ગયો છે કે અત્રેના લોકો શું ઇચ્છે છે.
- જનતાના દર્શન ખૂબ જ સૌભાગ્યથી મળે છે, આટલા ઓછા સમયમાં મને આટલા બધા લોકોના દર્શન કરવાની તક મળી છે.
- દુનિયા જમ્મુ-કાશ્મીરમાં આવવા માગે છે આપણે લોકોને સુરક્ષા આપવી પડશે.
- અત્રે ટૂરિઝમને પ્રોત્સાહન માટે દરેક સંભવ પ્રયાસ કરવા જરૂરી છે.
- અટલ બિહારી વાજપેઇની જમ્મુને રેલવેથી જોડવાની મહત્વાકાંક્ષી યોજનાને આગળ વધારવા માટે સંકલ્પિત છું.
- લોકો બંગલા, ગાડી નથી માંગતા રોજગાર માગે છે.
- લોકો સન્માનથી જીવવા માગે છે તેના માટે તેઓ રોજગાર માંગી રહ્યા છે.
- તેઓ કોણ લૂંટેરા છે જે જનતાના રૂપિયાને લૂંટી રહ્યા છે.
- ભ્રષ્ટાચાર અત્રેના નેતાઓની આદતમાં સમાઇ ગઇ છે.
- પહેલીવાર અત્રેના લોકોને એહસાસ થયો છે કે હવે વધું લૂંટાવા નહીં દઇએ.
- ત્રણ વર્ષથી જમ્મુ-કાશ્મીરનો વિકાસ અટકી ગયો છે.
- દરેક વખતે દળ બદલી જાય છે પરંતુ વિકાસ ક્યારેય નથી કર્યો.
- જમ્મુ-કાશ્મીરને મદદ કરવા માટે દિલ્હી હંમેશા તૈયાર રહેશે.
- એ સુનિશ્ચિત કરવામાં આવશે કે રૂપિયો જ્યાં પહોંચવો જોઇએ ત્યાં પહોંચી રહ્યો છે કે નહીં.
- આ દેશમાં લગભગ એવો કોઇ વડાપ્રધાન હશે જે દર મહિને જમ્મુ-કાશ્મીર આવે છે.
- હું દર મહિને આપની વચ્ચે વિકાસની વાત અને વિકાસની યોજનાને લઇને આવું છું.
- વિપદાના સમયે દરેકને આપની સેવામાં લગાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
