For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત જોગીનો કોંગ્રસ પર હુમલો, મારા ઘરે ફટાકડા ફોડીને મારા પિતાની મોતનો જશ્ન મનાવી રહ્યા?

કોંગ્રેસની ઉજવણી પર છત્તીસગઢ જનતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત જોગીએ હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છત્તીસગઢની એકમાત્ર સીટ મરવાહી પર પેટાચૂંટણી માટે હજુ મતગણતરી ચાલુ છે. અહીં કોંગ્રેસ અને ભાજપમાં મુકાબલો છે જેમાં કોંગ્રેસ લાંબી લીડ મેળવી લીધી છે. આ જ કારણ છે કે કોંગ્રેસ કાર્યકર્તા ઉજવણી કરી રહ્યા છે. હવે કોંગ્રેસની આ ઉજવણી પર છત્તીસગઢ જનતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત જોગીએ હુમલો કર્યો છે. અમિત જોગીએ કહ્યુ કે કોંગ્રેસ નેતા તેમના ઘર સામે ફટાકડા ફોડી રહ્યા છે જ્યારે તેમની પાર્ટી છત્તીસગઢ જનતા પાર્ટીને એ જ કોંગ્રેસે ચૂંટણી લડવા દીધી નથી.

amit jogi

ટ્વિટ કરીને કર્યો હુમલો

અમિત જોગીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મારા પૈતૃક જોગી નિવાસ સામે લાખોના ફટાકડા ફોડીને કેમ કોંગ્રેસીઓ મારા પિતાજીની મોતનો જશ્ન મનાવી રહ્યા છે? ફટાકજા ત્યારે ફોડતા જ્યારે તે જોગી પરિવારને ચૂંટણી મેદાનમાં હરાવતા. ખુદથી એકલા કુશ્તી લડનારાની જીતનો આ જશ્ન હાસ્યાસ્પદ નથી તો શું છે? આ જીતનુ એકમાત્ર કારણ મારા પરિવારને ચૂંટણી નહિ લડવા અને પ્રચાર ન કરવા દેવો છે તો પરિવાર સામે સરકાર કંઈ ન કરી શકતી. મારા પિતાની એક વાત સદૈવ શીખ આપે છેઃ હિંમતથી હારવુ પરંતુ હિંમત ન હારવી.' અમિત જોગીએ કોંગ્રેસના જશ્નનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. વળી, અમિત જોગીએ બિહાર અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની હાર માટે પણ હુમલો કર્યો. તેમણે કહ્યુ, 'જેટલા હથકંડા કોંગ્રેસે મરવાહીમાં મને ચૂંટણીમાંથી બહાર કરીને, એકલા કુશ્તી લડવામાં અપનાવ્યા, તેના 10 ટકા પણ બીજી જગ્યાએ કરી દેતા તો આજે બિહાર અને મધ્યપ્રદેશમાં સરકાર કોંગ્રેસની જ બનતી. વળી, તેમની હારનુ મુખ્ય કારણ ભૂપેશ બઘેલજીનુ જોગેરિયા જ છે.'

અજિત જોગીના નિધનથી ખાલી થઈ સીટ

મરવાહી સીટ અમિત જોગીના પિતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના નિધનના કારણે ખાલી થઈ હતી. રાજ્ય બન્યા બાદથી જ અહીં જોગી પરિવારનો કબ્જો રહ્યો હતો. પરંતુ આ વખતે અમિત જોગીનુ નામાંકન ખોટા જાતિ પ્રમાણપત્રના કારણે રદ કરવામાં આવ્યુ. મરવાહી અનુસૂચિત જાતિ માટે અનામત છે. અજિત જોગી અહીં કંવર અનુસૂચિત જાનજાતિના પ્રમાણપત્ર પર ચૂંટણી લડતા રહ્યા. આ વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ રાજ્ય સ્તરીય સમિતિએ અજિત જોગીના જાતિ પ્રમાણને રદ કરી દીધુ. બાદમાં અમિત જોગીએ પણ આ જાતિના પ્રમાણપત્રથી નામાંકન કર્યુ જેને રાજ્યની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ રદ કરી દીધુ ત્યારબાદ ચૂંટણી અધિકારીએ નામાંકન રદ કરી દીધુ. અમિત જોગીએ પોતાની પત્ની ઋચા જોગીનુ પણ નામાંકન કરાવ્યુ હતુ પરંતુ તેમનુ જાતિ પ્રમાણપત્ર પણ ખોટુ જોવામાં આવ્યુ અને નામાંકન રદ થઈ ગયુ.

આ જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છેઃ CM રૂપાણીઆ જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છેઃ CM રૂપાણી

English summary
Amit Jogi comment on congress over marwahi seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X