અમિત જોગીનો કોંગ્રસ પર હુમલો, મારા ઘરે ફટાકડા ફોડીને મારા પિતાની મોતનો જશ્ન મનાવી રહ્યા?
કોંગ્રેસની ઉજવણી પર છત્તીસગઢ જનતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત જોગીએ હુમલો કર્યો છે.
નવી દિલ્લીઃ છત્તીસગઢની એકમાત્ર સીટ મરવાહી પર પેટાચૂંટણી માટે હજુ મતગણતરી ચાલુ છે. અહીં કોંગ્રેસ અને ભાજપમાં મુકાબલો છે જેમાં કોંગ્રેસ લાંબી લીડ મેળવી લીધી છે. આ જ કારણ છે કે કોંગ્રેસ કાર્યકર્તા ઉજવણી કરી રહ્યા છે. હવે કોંગ્રેસની આ ઉજવણી પર છત્તીસગઢ જનતા કોંગ્રેસના અધ્યક્ષ અમિત જોગીએ હુમલો કર્યો છે. અમિત જોગીએ કહ્યુ કે કોંગ્રેસ નેતા તેમના ઘર સામે ફટાકડા ફોડી રહ્યા છે જ્યારે તેમની પાર્ટી છત્તીસગઢ જનતા પાર્ટીને એ જ કોંગ્રેસે ચૂંટણી લડવા દીધી નથી.
ટ્વિટ કરીને કર્યો હુમલો
અમિત જોગીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મારા પૈતૃક જોગી નિવાસ સામે લાખોના ફટાકડા ફોડીને કેમ કોંગ્રેસીઓ મારા પિતાજીની મોતનો જશ્ન મનાવી રહ્યા છે? ફટાકજા ત્યારે ફોડતા જ્યારે તે જોગી પરિવારને ચૂંટણી મેદાનમાં હરાવતા. ખુદથી એકલા કુશ્તી લડનારાની જીતનો આ જશ્ન હાસ્યાસ્પદ નથી તો શું છે? આ જીતનુ એકમાત્ર કારણ મારા પરિવારને ચૂંટણી નહિ લડવા અને પ્રચાર ન કરવા દેવો છે તો પરિવાર સામે સરકાર કંઈ ન કરી શકતી. મારા પિતાની એક વાત સદૈવ શીખ આપે છેઃ હિંમતથી હારવુ પરંતુ હિંમત ન હારવી.' અમિત જોગીએ કોંગ્રેસના જશ્નનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે. વળી, અમિત જોગીએ બિહાર અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની હાર માટે પણ હુમલો કર્યો. તેમણે કહ્યુ, 'જેટલા હથકંડા કોંગ્રેસે મરવાહીમાં મને ચૂંટણીમાંથી બહાર કરીને, એકલા કુશ્તી લડવામાં અપનાવ્યા, તેના 10 ટકા પણ બીજી જગ્યાએ કરી દેતા તો આજે બિહાર અને મધ્યપ્રદેશમાં સરકાર કોંગ્રેસની જ બનતી. વળી, તેમની હારનુ મુખ્ય કારણ ભૂપેશ બઘેલજીનુ જોગેરિયા જ છે.'
અજિત જોગીના નિધનથી ખાલી થઈ સીટ
મરવાહી સીટ અમિત જોગીના પિતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીના નિધનના કારણે ખાલી થઈ હતી. રાજ્ય બન્યા બાદથી જ અહીં જોગી પરિવારનો કબ્જો રહ્યો હતો. પરંતુ આ વખતે અમિત જોગીનુ નામાંકન ખોટા જાતિ પ્રમાણપત્રના કારણે રદ કરવામાં આવ્યુ. મરવાહી અનુસૂચિત જાતિ માટે અનામત છે. અજિત જોગી અહીં કંવર અનુસૂચિત જાનજાતિના પ્રમાણપત્ર પર ચૂંટણી લડતા રહ્યા. આ વિશે ફરિયાદ કરવામાં આવી ત્યારબાદ રાજ્ય સ્તરીય સમિતિએ અજિત જોગીના જાતિ પ્રમાણને રદ કરી દીધુ. બાદમાં અમિત જોગીએ પણ આ જાતિના પ્રમાણપત્રથી નામાંકન કર્યુ જેને રાજ્યની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ રદ કરી દીધુ ત્યારબાદ ચૂંટણી અધિકારીએ નામાંકન રદ કરી દીધુ. અમિત જોગીએ પોતાની પત્ની ઋચા જોગીનુ પણ નામાંકન કરાવ્યુ હતુ પરંતુ તેમનુ જાતિ પ્રમાણપત્ર પણ ખોટુ જોવામાં આવ્યુ અને નામાંકન રદ થઈ ગયુ.
परिवार को चुनाव नहीं लड़ने और प्रचार नहीं करने देना है नहीं तो परिवार के सामने सरकार कुछ नहीं कर पाती।
— Amit Ajit Jogi (@amitjogi) November 10, 2020
मुझे पापा की एक बात सदैव सीख देती है: हिम्मत से हारना पर हिम्मत मत हारना।
क्या हार में क्या जीत में
किंचित नहीं भयभीत मैं
संघर्ष पथ पर जो मिले
यह भी सही वह भी सही
આ જનતાનો વિજય છે અને 2022ની ચૂંટણીનુ ટ્રેલર છેઃ CM રૂપાણી