અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ
અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકા આપતા બિલ (નાગરિકતા સંશોધન બિલ) લોકસભામાં રજૂ કરી દીધું છે. જેને લઈ સદનમાં હંગામો શરૂ થઈ ગયો છે. વિપક્ષી દળ સહિત પૂર્વોત્તરના સાંસદ આ બિલની વિરોધમાં છે અને આને સંવિધાન પર હુમલો ગણાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે આર્ટિકલ 13, આર્ટિકલ 14ને કમજોર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી સાંસદોના હંગામાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ હજી બિલ રજૂ કરી રહ્યા છે અને વિપક્ષી સાંસદોના દરેક સવાલોના જવાબ આપશે.
અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે બિલ પર ચર્યા થશે તો તમે વૉકઆઉટ ના કરજો. અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા પણ અલ્પસંખ્યકો વિરુદ્ધનથી. તેમણે કહ્યું કે જ્યારે હું બિલ પર ચર્ચા કરીશ, તે બાદ સદનમાં સવાલ કરો. હું બધા સવાલોનો જવાબ આપીશ, અત્યારે બિલના મેરિટ પર વાત કરીએ.
Union Home Minister Amit Shah in Lok Sabha, to Opposition on #CitizenshipAmendmentBill2019 : I will answer all questions on the Bill. Tab House se walkout mat karna. https://t.co/x6fZwdN3Li pic.twitter.com/qYi72NonZl
— ANI (@ANI) December 9, 2019
કર્ણાટક ઉપચુનાવમાં ભાજપે જીતવી પડશે 8 સીટ, નહી તો લાંબુ ખેચાશે નાટક