ઇશરત એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને મળી શકે છે મોટી રાહત!
નવી દિલ્હી, 15 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોટી રાહત મળવાની સંભાવના છે.
વિશ્વસીનય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇશરત જહાં કેસમાં સીબીઆઇ ટૂંક સમયમાં પૂરક આરોપપત્ર દાખલ કરી શકે છે, જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપી તરીકે નહીં આવે તેવી સંભાવના છે.
સૂત્રો અનુસાર પૂરક આરોપપત્રમાં ગુપ્તચર બ્યૂરોના અધિકારીઓનું નિવેદન હોઇ શકે છે જે કથિત નકલી એન્કાઉન્ટરના કાવતરાનો ભાગ હતા. અથડામણમાં 19 વર્ષની ઇશરત જહાં અને ત્રણ અન્ય લોકોને અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ઠાર મારવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ હાલમાં ભાજપા મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહની ઇશરત જહાં અથડામણ કેસમાં પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વણઝારાના રાજીનામામાં લગાવવામાં આવેલા આરોપોના સંબંધમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
