15 ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે અમિત શાહ
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને લદ્દાખને અલગ કરીને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાનો એતિહાસિક નિર્ણય લીધો હતો
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને લદ્દાખને અલગ કરીને બે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાનો એતિહાસિક નિર્ણય લીધો હતો. કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાના સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. તે જ સમયે, હવે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શામિલ થવાની સાથે સાથે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો પણ લહેરાવી શકે છે.

કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગેલ છે
હાલમાં ખીણમાં સુરક્ષાની સ્થિતિ તંગદિલીભરી છે, કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગેલ છે. કલમ 370 રદ કરતા પહેલા અટકાયતમાં લેવામાં આવેલા કેટલાક લોકો હજી પણ કસ્ટડીમાં છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ, જે રાજ્યની એકંદર સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ખીણમાં છે, સોમવારે શહેર અને દક્ષિણ કાશ્મીર વિસ્તારોનો હવાઈ સર્વે હાથ ધર્યો હતો, કારણ કે સખ્ત પ્રતિબંધો વચ્ચે ખીણ ઈદની ઉજવણી કરતો હતો. ઈદ પર રાજ્યમાંથી હિંસાની કોઈ મોટી ઘટના નોંધાઈ નથી, એમ અહેવાલોમાં જણાવાયું છે. લાલ ચોક કેટલાક દાયકાઓથી રાજકીય સભાઓનું સ્થાન રહ્યું છે, જેમાં વિવિધ રાષ્ટ્રીય અને કાશ્મીરી નેતાઓએ લોકોને ત્યાં સંબોધન કર્યું હતું.

પાકિસ્તાન અને દેશમાંથી નીકળેલા આતંકવાદી જૂથોને જોરદાર સંદેશ આપી શકે
પ્રોટોકોલ મુજબ, ગૃહ મંત્રીનો પ્રવાસ અંતિમ ક્ષણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ ઔધોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) સહિત સરકારના સંકલન એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યો છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ ચોકથી ત્રિરંગો ફરકાવે છે, તો તે પાકિસ્તાન અને દેશમાંથી નીકળેલા આતંકવાદી જૂથોને જોરદાર સંદેશ આપી શકે છે. દરમિયાન, શાહ લાલ ચોકથી રાષ્ટ્રધ્વજ લહેરાવનારા ભાજપના એકમાત્ર નેતા નહીં હોય. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો દ્વારા ઉચ્ચસ્તરીય ધમકી હોવા છતાં તેમના માર્ગદર્શકો અને ભાજપના દિગ્ગજો, મુરલી મનોહર જોશી અને પીએમ નરેન્દ્ર મોદીએ 1992 માં લાલ ચોકથી ત્રિરંગો લહેરાવ્યો હતો. ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ પણ 1948 માં લાલ ચોકથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

પોલીસે લોકો પાસે સહયોગની માંગ કરી
સુરક્ષિત અને સફળ સ્વતંત્રતા દિવસ મનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે લોકોને કહ્યુ્ં કે તેમને જ્યાંપણ કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે સામાન દેખાઈ દે તો તરત આ વાતની જાણકારી પોલીસને આપો. આ એડવાઈઝરી જમ્મુ-કાશ્મીરમાં એસએસપીએ જાહેર કરી છે. લોકોને ભલામણ કરવામાં આવી છે કે સુરક્ષાકર્મિઓ સાથે સહયોગ કરે અને તેમના આગ્રહ પર પોતાની ઓળખ જાહેર કરવાથી પણ ન ખચકાવું. પાછલી 5 ઓગસ્ટે જ્યારથી જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર ખતમ થયો છે અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે ત્યાં પ્રશાસન સતત સુરક્ષા સ્થિતિઓની તપાસ કરી રહી છે અને તે મુજબ પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
