રાજનૈતિક ઉથલ-પાથલ વચ્ચે પશ્ચિમ બંગાળ પહોંચ્યા અમિત શાહ, જોરદાર સ્વાગત થયું
રાજનૈતિક ઉથલ-પાથલ વચ્ચે પશ્ચિમ બંગાળ પહોંચ્યા અમિત શાહ, જોરદાર સ્વાગત થયું
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, જે કારણે ત્યાં અત્યારથી જ રાજનૈતિક ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ છે. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે મોડી રાતે કોલકાતા પહોંચ્યા, જ્યાં અડધી રાતે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એરપોર્ટ બહાર હાજર રહ્યા. પોતાના બે દિવસીય પ્રવાસ દરમ્યાન અમિત શાહ કેટલીય મહત્વપૂર્ણ રેલીઓ અને બેઠકો કરશે. આની સાથે જ તેમની સુરક્ષા માટે પણ આકરા ઈંતેજામ કરવામાં આવ્યા છે.
કોલકાતા પહોંચ્યા અમિત શાહ
શુક્રવારે રાતે અમિત શાહ દિલ્હીથી વિશેષ વિમાન મારફતે કોલકાતા પહોંચ્યા. આ દરમ્યાન કૈલાશ વિજયવર્ગીય સહિત કેટલાય નેતાઓએ એપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટની બહાર જેવો અમિત શાહનો કાફલો પહોંચ્યો કે ત્યાં ભાજપી કાર્યકર્તાઓનું ટોળું પહેલેથી જ હાજર હતું. પોતાના પ્રવાસ પહેલાં અમિત શાહે ટ્વીટ કરી લખ્યું હતું કે કોલકાતા પહોંચી રહ્યો છું, હું પશ્ચિમ બંગાળમાં મારા પ્રિય ભાઈઓ અને બહેનો સાથે વિવિધ અવસર પર વાતચીત કરવા માટે ઉત્સુક છું. પોતાના બંગાળ પ્રવાસ દરમ્યાન અમિત શાહ કેટલીય ચૂંટણી લક્ષી બેઠકોમાં ભાગ લેશે. સાથે જ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત પણ કરશે.
સુરક્ષાના આકરા ઈંતેજામ
જણાવી દઈએ કે 10 દિવસ પહેલાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ પશ્ચિમ બંગાળના પ્રવાસે આવ્યા હતા. એ સમયે ડાયમંડ હર્બર પર તેમના કાફલા પર હુમલો થયો. જેમાં કૈલાશ વિજયવર્ગીય સહિત કેટલાય નેતાઓ ઘાયલ થયા હોવાનો દાવો કરાયો હતો. નડ્ડા પર થયેલ હુમલાને સીઆરપીએફે ગંભીરતાથી લીધો છે, કેમ કે અમિત શાહની સુરક્ષાની જવાબદારી તેમની પાસે જ છે. આ યાત્રાના બે દિવસ પહેલા જ CRPFએ પશ્ચિમ બંગાળ પોલીસને પત્ર લખી આકરા સુરક્ષા ઈંતેજામ કરવા કહ્યું હતું સાથે જ શુક્રવારે ગૃહ મંત્રાલયે પણ પશ્ચિમ બંગાળ પ્રશાસનને કેટલાય નિર્દેશ આપ્યા.
TMCમાં સતત રાજીનામાં પડી રહ્યાં છે
સૌથી પહેલા ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારીએ મંત્રી સહિત કેટલાય પદો પરથી રાજીનામું આપી દીધું. જે બાદથી ટીએમસીમાં રાજીનામાં પડવા લાગ્યાં. શુક્રવારે સવારે પહેલા બૈરકપુરથી ધારાસભ્ય શીલભદ્ર દત્તાએ પાર્ટી છોડી, જે બાદ મોડી સાંજે બનાશ્રી મૈતીએ પણ રાજીનામું આપી દીધું. ગુરુવારે ટીએમસી નેતા જિતેન્દ્ર તિવારીએ પણ બગાવત કરી હતી, પરંતુ શુક્રવારે તેમણે માફી સાથે ઘર વાપસી કરી લીધી. ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે કે અમિત શાહની હાજરીમાં ટીએમસીના બાગી નેતા ભાજપ જોઈન કરી શકે છે.
કોંગ્રેસની આજે મોટી બેઠકઃ રાજદ નેતા શિવાનંદની સોનિયા ગાંધીને અપીલ - પુત્ર મોહનો ત્યાગ કરો