Muslim Reservation: તેલંગાનામાં અમિત શાહનુ એલાન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ મુસ્લિમ અનામત
Muslim Reservation: તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો તેલંગાણામાં અમારી સરકાર બનશે તો ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં મુસ્લિમ અનામત ખતમ કરશે. અમિત શાહે રવિવારે હૈદરાબાદ નજીક ચેવેલામાં આયોજિત વિજય સંકલ્પ સભામાં બોલતા આ જાહેરાત કરી હતી.
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી છે, અમિત શાહ અહીં પ્રચાર કરીને તેલંગાણા પહોંચ્યા હતા. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપની બસવરાજ બોમાઈ સરકારે તાજેતરમાં જ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ કર્યુ હતુ. આ અનામત વોકલિંગા અને લિંગાયત સમુદાયને આપવામાં આવ્યુ હતુ.

બોમ્માઈ સરકારના નિર્ણયની પ્રશંસા કરતા અમિત શાહે શનિવારે બેંગલુરુમાં કહ્યુ કે ધર્મના આધારે અનામત બંધારણની વિરુદ્ધ છે. એવુ માનવામાં આવે છે કે મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમિત શાહે કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળશે તો અમે તેલંગાણામાં મળેલા ગેરબંધારણીય મુસ્લિમ અનામતને ખતમ કરીશું અને આ અનામત એસસી, એસટી અને ઓબીસીને આપીશુ.
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં મુસ્લિમોને પછાત વર્ગનો દરજ્જો છે, જેના કારણે તેમને 4 ટકા અનામત આપવામાં આવી રહ્યુ છે. પોતાના ભાષણમાં અમિત શાહે મુખ્યમંત્રી કેસીઆર પર અસદુદ્દીન ઓવૈસીના એજન્ડાને સતત આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યુ કે કેસીઆરના ભ્રષ્ટ શાસનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.
અમિત શાહે કહ્યુ કે કેસીઆર વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી 2024માં ફરી આ સીટ પર બેસશે. શાહે કહ્યું કે કેસીઆરે આ વર્ષે તેમની ખુરશી જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં સુધી તમે ખુરશી પરથી નીચે નહીં ઉતરો ત્યાં સુધી અમે અમારી લડાઈ બંધ નહીં કરીએ.
અમિત શાહે રાજ્ય સરકાર પર કેન્દ્રની યોજનાઓને રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે કેસીઆર સરકાર ગરીબો માટેની કેન્દ્રીય યોજનાનો અમલ કરી રહી નથી. કેસીઆર લોકોને મોદીથી દૂર નહીં કરી શકે.












Click it and Unblock the Notifications
