Muslim Reservation: તેલંગાનામાં અમિત શાહનુ એલાન, સત્તામાં આવ્યા તો ખતમ કરીશુ મુસ્લિમ અનામત
Muslim Reservation: તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો તેલંગાણામાં અમારી સરકાર બનશે તો ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં મુસ્લિમ અનામત ખતમ કરશે. અમિત શાહે રવિવારે હૈદરાબાદ નજીક ચેવેલામાં આયોજિત વિજય સંકલ્પ સભામાં બોલતા આ જાહેરાત કરી હતી.
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી છે, અમિત શાહ અહીં પ્રચાર કરીને તેલંગાણા પહોંચ્યા હતા. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપની બસવરાજ બોમાઈ સરકારે તાજેતરમાં જ રાજ્યમાં મુસ્લિમો માટે 4 ટકા અનામત રદ કર્યુ હતુ. આ અનામત વોકલિંગા અને લિંગાયત સમુદાયને આપવામાં આવ્યુ હતુ.

બોમ્માઈ સરકારના નિર્ણયની પ્રશંસા કરતા અમિત શાહે શનિવારે બેંગલુરુમાં કહ્યુ કે ધર્મના આધારે અનામત બંધારણની વિરુદ્ધ છે. એવુ માનવામાં આવે છે કે મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી તેલંગાણા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમિત શાહે કહ્યુ કે જો ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળશે તો અમે તેલંગાણામાં મળેલા ગેરબંધારણીય મુસ્લિમ અનામતને ખતમ કરીશું અને આ અનામત એસસી, એસટી અને ઓબીસીને આપીશુ.
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં મુસ્લિમોને પછાત વર્ગનો દરજ્જો છે, જેના કારણે તેમને 4 ટકા અનામત આપવામાં આવી રહ્યુ છે. પોતાના ભાષણમાં અમિત શાહે મુખ્યમંત્રી કેસીઆર પર અસદુદ્દીન ઓવૈસીના એજન્ડાને સતત આગળ ધપાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યુ કે કેસીઆરના ભ્રષ્ટ શાસનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.
અમિત શાહે કહ્યુ કે કેસીઆર વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી 2024માં ફરી આ સીટ પર બેસશે. શાહે કહ્યું કે કેસીઆરે આ વર્ષે તેમની ખુરશી જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં સુધી તમે ખુરશી પરથી નીચે નહીં ઉતરો ત્યાં સુધી અમે અમારી લડાઈ બંધ નહીં કરીએ.
અમિત શાહે રાજ્ય સરકાર પર કેન્દ્રની યોજનાઓને રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે કેસીઆર સરકાર ગરીબો માટેની કેન્દ્રીય યોજનાનો અમલ કરી રહી નથી. કેસીઆર લોકોને મોદીથી દૂર નહીં કરી શકે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
