Amit Shah BJP ના જન આધાર પર આશ્વસ્ત, 300 પ્લસ સીટ જીવાનો દાવો, અસમમાં આપ્યા 45 હજાર જોબ ઓફર લેટર
Amit Shah BJP ની રાજનિતિક પરફોર્મસ અને જનઆધારને લઇને આશ્વસ્ત નજર આવી રહ્યા છે. અસમ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમીત શાહે કહ્યુ કે, 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપ 300 કરતા વધારે સીટ જીતીને સત્તામાં પરત ફરશે.

ગવહાટીમાં ગૃહમંત્રીએ કહ્યુ કે, નરેન્દ્ર મોદી આગામી વર્ષે 300 કરતા વધારે સીટ સાથે ફરી પીએમ બનશે." તેમણે અસમમાં એક સરકાર કાર્યક્રમમાં 45 હજાર લોકોને નિયુક્ત પત્ર આપ્યા હતા.
અસમના મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાની હાજરીમાં શાહે કહ્યુ કે, અસમના યુવાનોને રાજ્યના વિકાસમાં ભાગીદાર બનાવવા જોઇએ. તેમણે કહ્યુ કે, બીજેપીએ પોતાની ચૂંટણી વચનો પુરા કર્યા છે. આજે અંદાજે 86000 યુવાનો નૌકરી મળી રહી છે. ફક્ત 2 વર્ષની અંદર વચનો પુરા કર્યા છે.
સંસદ ભવનની નવી ઇમારતનું ઉદ્દઘાટન અને કોગ્રેસ સહિત 19-20 વિપક્ષ દળોના વિરોધ પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ કે કોગ્રેસ પાર્ટી રાષ્ટ્રપતિને સમાવેશ કરવાના બહાનું બનાવી રહી છે.
તેમણે ઘણા સવાલો કર્યા હતા શાહે પુછ્યુ હતુ કે, ઝારખંડ વિધાનસભાના ભૂમિ પુજન હેમંત સોરેને કર્યુ હતુ. રાજ્યપાલને ઇન્વાઇટ નહોતા કર્યા. મણિપુર, આધ્રાપ્રદેશ અને તમિલનાડુમાં પણ રાજ્યપાલને ગેરહાજર હતા.












Click it and Unblock the Notifications
