Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ CAA ન વાંચ્યુ હોય તો ઈટાલિયનમાં એનો અનુવાદ મોકલી દઉ છુ

નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકર પર વહેંચવામાં આવેલા વાંધાજનક પુસ્તક પર રાજકીય સંગ્રામ ચાલુ થઈ ગયો છે. બુકલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નાથૂરામ ગોડસે સાથે શારીરિક સંબંધ હતા. આ વિશે શિવસેના સાંસદ સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે વીર સાવરકરની વિરુદ્ધ બોલી રહ્યા છે. વળી, શાહે નાગરિક સુધારા કાયદા માટે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ

નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે જો આ બધા દળ એક સાથે આવી જાય તો પણ ભાજપ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે એક ઈંચ પણ પાછળ નહિ હટે. તમે ભલે ગમે તેટલી અફવા ફેલાવો. આ એક્ટ માટે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યુ, ‘તમે(રાહુલ ગાંધી) કાયદો વાંચ્યો હોય તો ક્યાંય પણ ચર્ચા કરવા માટે આવી જાવ. ન વાંચ્યો હોય તો હું ઈટાલિયનમાં એનો અનુવાદ કરીને મોકલી દઉ છુ, એને વાંચી લેજો.'

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ

નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે જો આ બધા દળ એક સાથે આવી જાય તો પણ ભાજપ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે એક ઈંચ પણ પાછળ નહિ હટે. તમે ભલે ગમે તેટલી અફવા ફેલાવો. આ એક્ટ માટે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યુ, ‘તમે(રાહુલ ગાંધી) કાયદો વાંચ્યો હોય તો ક્યાંય પણ ચર્ચા કરવા માટે આવી જાવ. ન વાંચ્યો હોય તો હું ઈટાલિયનમાં એનો અનુવાદ કરીને મોકલી દઉ છુ, એને વાંચી લેજો.'

‘કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી'

‘કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી'

શાહે કહ્યુ કે વિપક્ષના લોકો દેશને ભરમાવી રહ્યા છે કે આનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે પરંતુ હું તમને બધાને આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈની નાગરિકતા છીનવા માટે નહિ. વળી, સીએમ અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવાના બદલે તમે (અશોક ગહેલોત) કોટામાં રોજ થઈ રહેલા બાળકોના મોત પર ધ્યાન આપો, તમને માતાઓની હાય લાગી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X