પાકિસ્તાન સાથેની ક્રિકેટ સીરિઝ અંગે અમિત શાહનું મોટું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચ પહેલાં ભાજપના અમિત શાહે આપ્યું મોટું નિવેદન.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ સ્પર્ધા રમાનાર હોય તો તેમને રોકી ન શકાય. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બંન્ને દેશો વચ્ચે કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાવાની સંભાવના નથી.

આ પહેલીવાર છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઇ મોટા નેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ અંગે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમો એકબીજા સામે મેચ રમતી રહેશે, પરંતુ બંન્ને દેશોની ટીમો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ નહીં રમાય.
આ મામલે ગત મહિને જ ખેલ મંત્રી વિજય ગોયલે કહ્યું હતું કે, જ્યાં સુધી બોર્ડ પરની આંતકવાદી કામગીરી પર રોક લગાવવામાં નહીં આવે ત્યાં સુધી બંન્ને દેશો વચ્ચે ક્રિકેટ સીરિઝ નહીં રમાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2007 બાદ કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ નથી રમાઇ. વર્ષ 2012-13માં પાકિસ્તાને ભારતની મુલાકાત લીધી હતી, આ દરમિયાન 3 વનડે મેચ અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ ન રમાઇ હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમો રમતી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
