સ્મૃતિ ઇરાની અને અમિત શાહની શપથવિધિ, બન્યા રાજ્ય સભાના સાંસદ
અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ લીધા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ. દિલ્હીમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ. સાંસદ બન્યા પછી શાહ એલ.કે અડવાણીને મળવા પહોંચ્યા.
દિલ્હી ખાતે આજે ગણેશચતુર્થીના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા. ઉલ્લેખનીય છે કે ગત 8 ઓગસ્ટના રોજ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભારે રસાકસી પછી ભાજપમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની તથા કોંગ્રેસમાંથી અહેમદ પટેલની રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી થઇ હતી. તે પછી અમિત શાહે અને સ્મૃતિ ઇરાનીએ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.
નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના દિલ્હી ખાતેના નિવાસ્થાને તેમને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં બન્ને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારા સમયમાં ભાજપના ચાણક્ય તેવા અમિત શાહ દ્વારા આ ચૂંટણીમાં જીતવા માટે શું તાજવીજ હાથ ધરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું.
BJP President Amit Shah after taking oath as RS MP met senior party leader LK Advani at his residence in Delhi pic.twitter.com/XOwFzkRFs5
— ANI (@ANI) August 25, 2017