તમિલનાડુ બૉઈલર વિસ્ફોટઃ અમિત શાહે CM પલાની સ્વામી સાથે કરી વાત, મદદનુ આશ્વાસન આપ્યુ
તમિલનાડુમાં નેવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામી સાથે વાત કરી.
તમિલનાડુમાં નેવેલી સ્થિત લિગ્નાઈટ પાવર પ્લાન્ટમાં બુધવારે મોટી દૂર્ઘટના થઈ ગઈ છે. પ્લાન્ટમાં બૉઈલર ફાટવાથી થયેલ વિસ્ફોટમાં 6 લોકોના મોત થઈ ગયા છે અને 17 લોકો ઘાયલ થયા છે. આ બાબતે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી એડાપ્પડી કે. પલાનીસ્વામી સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ આપવાનુ આશ્વાસન આપ્યુ છે. તેમણે આ બાબતે ટ્વિટ કર્યુ છે અને ઘટના વિશે દુઃખ વ્યક્ત કર્યુ છે.

ગૃહમંત્રીએ ટ્વિટમાં કહ્યુ, 'તમિલનાડુમાં નેવેલી વિજળી સંયંત્રના બૉઈલરમાં વિસ્ફોટના કારણે જાનમાલના નુકશાન વિશે જાણીને દુઃખી છુ. આ બાબતે તમિલનાડુના મુખ્યમંત્રી એડાપ્પડીના પલાનીસ્વામી સાથે વાત કરી અને તેમણે દરેક સંભવનુ આશ્વાસન આપ્યુ છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ(સીઆઈએસએફ) રાહત કાર્ય માટે ઘટના સ્થળે હાજર છે. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ.'
તમને જણાવી દઈએ કે સ્ટેજ-2ના બૉઈલર ફાટવાથી આ ધમાકો થયો છે. વિસ્ફોટમાં ઘાયલ લોકોને એનએલસી લિગ્નાઈટ હોસ્પિટલથી લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગભીર જણાવવામાં આવી રહી છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાનો અંદેશો છે. એ પ્લાન્ટ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં છે. કુડ્ડાલોર સ્થિત આ પ્લાન્ટ ચેન્નઈથી 180 કિલોમીટર દૂર છે. પ્લાન્ટની કિંમત ફાયરબિગ્રેડની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. કુડ્ડાલોર જિલ્લા પ્રશાસન પણ બચાવ દળ સાથે ઘટના સ્થળે છે. દૂર્ઘટનાના કારણે અત્યારે વધુ માહિતી સામે નથી આવી.
મુંબઈમાં ફરીથી લાગુ થઈ કલમ 144, રાતે 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ
Anguished to learn about the loss of lives due to a blast at Neyveli power plant boiler in Tamil Nadu.
— Amit Shah (@AmitShah) July 1, 2020
Have spoken to @CMOTamilNadu and assured all possible help.@CISFHQrs is already on the spot to assist the relief work.
Praying for the earliest recovery of those injured.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
