For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ફરીથી લાગુ થઈ કલમ 144, રાતે 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યુ

આખા દેશમાં મુંબઈ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. જેના કારણે ત્યાં મહારાષ્ટ્ર પોલિસે એક મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

આખા દેશમાં મુંબઈ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે. જેના કારણે ત્યાં મહારાષ્ટ્ર પોલિસે એક મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આખા મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઈ પણ સ્થળે લોકોના ભેગા થવા પર રોક રહેશે. સાથે જે પણ આ આદેશનુ ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલિસે લોકોને જરૂરી કામ પડવા પર જ ઘરમાંથી બહાર નીકળવાની સલાહ આપી છે.

mumbai

ડેપ્યુટી પોલિસ કમિશ્નર પ્રણય અશોક તરફથી જારી આદેશ મુજબ ધાર્મિક સ્થળ સહિત તમામ જગ્યાઓ પર લોકોના ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત નિગમો તરફથી નક્કી કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં બધી ગતિવિધિઓ પર રોક રહેશે. માત્ર જરૂરી સેવાઓને જ કન્ટેનમેન્ટ ઝોનમાં મંજૂરી મળશે. વળી, મુંબઈમાં હવે રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન મેડિકલ અને જરૂરી સામાનોની આપૂર્તિ કરનાર લોકોને છૂટ મળશે. બાકી બધી ગતિવિધિઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. હાલમાં મહારાષ્ટ્ર પોલિસનો આ આદેશ 15 જુલાઈ સુધી લાગુ રહેશે.

આખા દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓની વાત કરીએ તો ભારતમાં કોરોનાના 585,493 કેસ છે. જેમાંથી 3 લાખથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે જ્યારે 2,20,114 કેસ સક્રિય છે. વળી, આ ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં 17,400 લોકોના જીવ જઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં 1,74,761 કેસ સામે આવ્યા છે. આમાં 77,658 કેસ તો દેશની આર્થિક રાજધાનીમાં જ છે. આ સાથે જ મુંબઈમાં 4556 લોકોના મોત થયા છે.

ગૂગલ ક્રોમ પર થઈ શકે છે હેકર્સનો એટેક, એજન્સીએ જારી કરી એલર્ટગૂગલ ક્રોમ પર થઈ શકે છે હેકર્સનો એટેક, એજન્સીએ જારી કરી એલર્ટ

English summary
corona outbreak: Section 144 imposed in Mumbai due to covid-19.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X