મોદી સરકાર કરશે લઘુમતીઓને આકર્ષિત કરવાની કોશિશ

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: છેલ્લા ઘણા સમયથી સતત ધર્માંતરણ જેવા મુદ્દાથી ભાજપ પર હિન્દુવાદી હોવાનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ ભાજપ પોતાની આ છબીથી મુક્ત થવા ઇચ્છે છે માટે તે હવે લઘુમતીઓને ખુશ કરવા માટે એક કેમ્પેઇન પ્રોગ્રામ કરવા જઇ રહ્યા છે જેના માટે લગભગ મોદી સરકારનો સાથ અભિનેતા અમિતાભ બચ્ચન આપી શકે છે જે છેલ્લા ઘણા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળ્યા હતા.

આ કેમ્પેઇનની જવાબદારી ભાજપના કદ્દાવર નેતા મુખ્તાવર અબ્બાસ નકવી પર રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન લઘુમતીઓના વિસ્તારોમાં પ્રચાર કરવા માટે જશે જેથી તે લોકોને જણાવી શકે કે ભાજપ એક ધર્મનિરપેક્ષ સરકાર છે.

amitab
ભાજપને ધર્મનિરપેક્ષ બનાવવાની કોશિશ
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ સમાચાર અનુસાર આ કેમ્પેઇનની શરૂઆત કેરળથી થશે અને કેરળથી થતા આ પ્રચાર આખા ભારમાં ફેલાશે. અમિતાભ બચ્ચન આ કેમ્પેઇનની જાહેરાત પણ કરશે અને આ કેમ્પેઇન 26 જાન્યુઆરીથી શરૂ થશે. આ કેમ્પેઇન વીડિયોમાં અમિતાભની સાથે વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરૂણ જેટલી પણ જોવા મળશે. કહેવામાં તો એ પણ આવે છે કે અમિતાભને આ એડ માટે મોદીએ પર્સનલી ઓફર કરી હતી.

26 જાન્યુઆરીના રોજ દેખાશે જાહેરાત
પરંતુ વિચારવાની વાત એ છે કે શું આ પ્રકારના કેમ્પેઇનથી મોદી સરકાર એ લોકોને ખુશ કરી શકશે જે છેલ્લા ઘણા દિવસોથી ધર્માંતરણના દર્દમાંથી પસાર થયા છે અને મોદી સરકાર પોતાના એ લોકોનું મોઢું બંધ કેવી રીતે કરાવશે જે ખ્રીસ્તીઓ અને મુગલોને હિન્દુ બનાવવાને યોગ્ય ઠેરવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X