For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુસેનાનુ ફાઈટર એરક્રાફ્ટ મિગ-29 પંજાબમાં ક્રેશ, પાયલટ સુરક્ષિત

ભારતીય વાયુસેનાનુ એક ફાઈટર વિમાન દૂર્ઘટનાનુ શિકાર બની ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાનુ એક ફાઈટર વિમાન દૂર્ઘટનાનુ શિકાર બની ગયુ છે. પંજાબમાં આ ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયુ છે. આઈએએફ મિગ-19 ફાઈટર વિિમાન નવશહર જિલ્લાના રૂડકી કલા પાસે દૂર્ઘટનાનો શિકાર બન્યુ. દૂર્ઘટના બાદ સ્થાનિક પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલિસે જણાવ્યુ કે પાયલટ સમયસર વિમાનમાંથી બહાર આવી ગયા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. એરક્રાફ્ટ કયા કારણોસર ક્રેશ થયુ અને આમાં જાનમાલનુ નુકશાન શું થયુ છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.

aircraft

જલંધર પાસે વાયુસેના બેઝથી એક પ્રશિક્ષણ મિશન દરમિાયન આ વિમાને ઉડાન ભરી હતી. વિમાનમાં અચાનક ટેકનિકલ ખરાબી આવી ગઈ હતી અને પાયલટ વિમાનને નિયંત્રિત કરવામાં અસમર્થ હતો ત્યારબાદ તે સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો. પાયલટને એક હેલીકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યો. દૂર્ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઑફ ઈન્ડિયા ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

વિમાને જલંધરના આદમપુર સ્ટેશનથી ઉડાન ભરી હતી. એરફોર્સના પ્રવકતા વિંગ કમાંડર ઈન્દ્રનીલ નંદીએ જણાવ્યુ કે 8 મેના રોજ સવારે 10.45 વાગે એક મિગ - 29 વિમાન ટ્રેનિંગ પર હતુ ત્યારે જલંધર એરબેઝ પાસે દૂર્ઘટના બની ગઈ. વિમાનમાં ટેકનિકલ ગરબડ આવી ગઈ હતી. માટે પાયલટ વિમાનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યુ. પાયલટને હેલીકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કેસની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મજૂરો સાથે થઈ રહેલા વ્યવહાર પર સરકારને શરમ આવવી જોઈએઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ મજૂરો સાથે થઈ રહેલા વ્યવહાર પર સરકારને શરમ આવવી જોઈએઃ રાહુલ ગાંધી

English summary
An Indian Air Force fighter aircraft has crashed in Punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X