પંજાબઃ મોગાના લંગિયાના ખુર્દ ગામ પાસે મિગ 21 વિમાન થયુ ક્રેશ, પાયલટનુ મોત, IAFએ આપ્યા તપાસના આદેશ
પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે.
ચંદીગઢઃ પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ મિગ 21 ઉડાન ભર્યા બાદ મોગા જિલ્લામાં લંગિયાના ખુર્દ ગામ પાસે ક્રેશ થયુ. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળ પર છે. મીડિયા રિપોર્ટ મુજબ એર ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલટ અભિનવે મિગ 21થી રાજસ્થાનના સૂરતગઢ માટે ઉડાન ભરી હતી પરંતુ એ પહેલા જ મોગામાં ક્રેશ થઈ ગયુ. આ દૂર્ઘટનામાં કેપ્ટન અભિનવ ચૌધરીનુ મોત થઈ ગયુ છે. શુક્રવારે સવારે પાયલટ અભિનવ ચૌધરીનો મૃતદેહ મેળવી લેવાયો છે.

આ અંગે ભારતીય વાયુસેનાના અધિકારીએ નિવેદન આપ્યુ છે કે પંજાબના મોગા પાસે કાલે મોડી રાતે ભારતીય વાયુસેનાનુ એક મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દૂર્ઘટના વખતે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ. આ દૂર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરીના મોત પર વાયુસેનાએ ઉંડુ દુઃખ પ્રગટ કર્યુ છે. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટના ગ્રસ્ત
એવુ નથી કે પહેલી વાર મિગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હોય, આ પહેલા પણ મિગ ક્રેશ થવાના સમાચારો આવતા રહે છે. માર્ચ 2021માં જ ભારતીય વાયુસેનાનુ મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ જેમાં કેપ્ટનનો જીવ જતો રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં રાજસ્થાનના સૂરતગઢમાં વાયુસેનાનુ મિગ-21 બાઈસન ક્રેશ થયુ હતુ. એ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
મિગ-21 ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવાતુ
ઉલ્લેખનીય છે કે એક જમાનામાં જેટ મિગ 21ને ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવામાં આવતુ હતુ પરંતુ હવે આ વિમાન જૂનુ થઈ ગયુ છે. અપગ્રેડ છતાં આ વિમાન ના તો વૉર માટે ફિટ છે અને ના ઉડાન માટે.
બાપરે! એન્ટાર્કટિકામાં 170 કિમી લાંબો આઇસબર્ગ ટૂટ્યો
ખાસ વાતો
- વર્ષ 1963માં આ મિગ 21 વાયુસેનામાં કમિશન થયુ હતુ.
- મિકોયાન-ગુરેવિચ મિગ-21 એક સુપરસોનિક લડાકુ જેટ વિમાન છે.
- આના નિર્માણકર્તા મિકોયાન-ગુરેવિચ છે.
- છેલ્લા ઘણા સમયથી આ વિમાન દૂર્ઘટનાનો શિકાર બની રહ્યુ છે. છેલ્લા 5 વર્ષોમાં 483થી વધુ વિમાન દૂર્ઘટનાનો શિકાર થઈ ચૂક્યા છે જ્યારે 170થી વધુ પાયલટોના જીવ પણ જઈ ચૂક્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
