કેજરીવાલ એકલાજ પુરતા છે દિગ્વિજયને પહોંચી વળવાઃ હજારે

અણ્ણાએ કહ્યું કે તે દિગ્વિજય સિંહ પર કોઇ કોમેન્ટ કરવા ઇચ્છતા નથી. તે ધડ-માથા વગરની વાતો કરે છે. તેથી તેમના માટે કંઇ કહેવું નથી, તેમને બકબક કરવા માટે પૈસા મળે છે તેથી બકવાસ કરે છે. અણ્ણાએ આ વાત એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહી છે.
નોંધનીય છે કે દિગ્ગી રાજાએ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખીને 27 પ્રશ્નો પૂછ્યા છે, જેના પર કેજરીવાલને કહ્યું કે તેમના પ્રશ્નોના જવાબ તે ત્યારેજ આપશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમની સાથે ચર્ચા કરશે. જેના પર ગુસ્સે ભરાયેલા દિગ્ગી રાજાએ કહ્યું કે કેજરીવાલ એટલા મોટા નથી કે સોનિયા અને રાહુલ તેમની સાથે વાત કરે. દિગ્વિજય સિંહે કેજરીવાલના સંગઠન પર પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.












Click it and Unblock the Notifications
