અણ્ણા ભારતમાં સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ : સર્વે
મુંબઇ, 30 જાન્યુઆરી: એક નવા સર્વેક્ષણના પરિણામોનું માનીએ તો સમાજસેવક અણ્ણા હજારે સતત બીજીવાર ભારતમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિનો દરજ્જો પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છે જ્યારે નોકિયાને સૌથી વિશ્વનીય બ્રાંડ જાહેર કરી દિધી છે.
'ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી' દ્રારા કરાવવામાં આવેલા 'ધ બ્રાંડ ટ્રસ્ટ રિપોર્ટ' નામના સર્વેક્ષણમાં નવ મહિલાઓ સહિત 35 જાણીતી હસ્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ હસ્તિઓમાં મહાત્મા ગાંધીને તમિલ સુપરસ્ટાર રજનીકાંત કરતાં એક સ્થાન ઉપર 12મા સ્થાને મુકવામાં આવ્યાં હતા.
'ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી' ના પ્રમુખ કાર્યકારી એન ચંદ્રમૌલીએ રિપોર્ટ જાહેર થયા બાદ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમને કહ્યું હતું કે 'અણ્ણા હજારે સતત બીજા વર્ષે પણ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે.' સર્વેક્ષણમાં 211 શ્રેણીઓના 1,100 વિશ્વસનીય બ્રાંડોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં જાણીતી હસ્તિઓ, ગેજેટ્સ, ઉપભોક્તા સામગ્રી, બેકિંગ, સરકારી સંસ્થાઓ, દૂરસંચાર, એરલાઇન્સ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.