અણ્ણા હજારે ફક્ત કેજરીવાલની પાર્ટી માટે પ્રચાર કરશે

anna-hazare-arvind-kejariwal
ભુવનેશ્વર, 1 ડિસેમ્બર: સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ શનિવારે કહ્યું હતું કે તે ફક્ત તેવા ઉમેદવારો માટે પ્રચાર કરશે કે જેમને અરવિંદ કેજરીવાલે ઉભા રાખ્યાં છે. આ સાથે સાથે તેમને તે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે કોઇપણ અન્ય પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરશે નહી. અણ્ણા હજારેએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે 'હું ફક્ત કેજરીવાલના ઉમેદવારો માટે પ્રચાર કરીશ. બીજી પાર્ટીમાં પણ સારા ઉમેદવાર હોઇ શકે છે પરંતુ પાર્ટી પર કોઇનું નિયંત્રણ ક્યાં છે.

75 વર્ષીય અણ્ણા હજારેએ અન્ય પાર્ટીઓની જાતિ અને સમુદાયની રાજકારણ કરવા માટે ટીકા કરી અને કહ્યું હતું કે દાન ઉધરાવવા માટે તે જરૂરી સાધનોનો સહારો લેશે. તેમને કહ્યું હતું કે અન્ય પાર્ટીઓ મોટી કંપનીઓ પાસેથી ભારે દાન લે છે. પરંતુ દાનવીરની ઓળખ છુપાવવા માટે તેમને 20 હજારથી ઓછી રકમના ટુકડાઓ તોડવી પડે છે. તેમને વ્યક્તિ કેન્દ્રીત રાજકીય પક્ષોની ટીકા કરી હતી.

તેમને કહ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલને ઓળખુ છું તેમને તેમના માટે કશું જ કર્યુ નથી. તે દરેક કામ દેશ માટે કરે છે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલના ઉમેદવારોને પણ તપાસ કરશે અને યોગ્ય ઉમેદવારોને જ સમર્થન કરશે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના સંસ્થાપલ ગુરૂવારે ત્રણ દિવસ માટે ઓરિસ્સાના પ્રવાસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X