Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકપાલ બિલ માટે આજથી અણ્ણા હઝારે આમરણ અનશન પર...

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: જનલોકપાલ બિલ માટે વર્ષોથી લડી રહેલા સમાજસેવી અણ્ણા હઝારે એકવાર ફરી અનશન પર બેસી રહ્યા છે. અણ્ણા હઝારેએ રાલેંગણ સિદ્ધીમાં અમર્યાદિત અનશન પર બેસી રહ્યા છે. અણ્ણાએ જણાવ્યું છે કે આ વખતે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમના અનશન ચાલુ રહેશે.

જન લોકપાલ બિલ પર પોતાના અનશન શરૂ કરતા પહેલા અણ્ણાએ કોંગ્રેસ સરકાર પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે સંપ્રગ સરકારના પોતાના વાયદાને પૂર્ણ કરવા અથવા સત્તામાંથી જવાનો સમય આવી ગયો છે.

અણ્ણાએ રાજ્યસભામાં પેન્ડિંગ લોકપાલ બિલને પાસ કરવામાં ઢિલાસ રાખવાને લઇને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચ્યો. સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયા છે માટે તેઓ હવે ફરીથી અનશન પર બેસી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમનું અનશન ચાલુ રહેશે.

anna hazare
અત્રે ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારનો સફાયો કરવા માટે લોકપાલ બિલ લાવવાના અભિયાનમાં અણ્ણા સાથે રહેલા અને બાદમાં રાજનીતિમાં આવેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ અણ્ણાના અનશનનું સ્વાગત કર્યું છે અને તેમને સમર્થન આપ્યું છે. પરંતુ કેજરીવાલ અણ્ણા સાથે મંચ પર આવે છે કે નહીં એ તો સમય જ જણાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X