મોદી પર ફિદા અણ્ણા, કેજરીવાલ પર વરસ્યા
નવી દિલ્હી, 30 મે: સમાજ સેવી અણ્ણા હઝારેએ કેન્દ્રમાં બનેલી એનડીએ સરકારના વખાણ કર્યા છે. અણ્ણા હઝારે જે અત્યાર સુધી કોઇ પણ પાર્ટીના પક્ષમાં ખુલીને ન્હોતા બોલી રહ્યા તેમણે પહેલી વાર ખુલેઆમ પોતાનો પક્ષ રાખ્યો છે. અણ્ણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કેન્દ્રની ભાજપ સરકારની પ્રશંસા કરી. અણ્ણાએ જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે. અણ્ણાએ વડાપ્રધાન મોદીના વખાણ તો કર્યા પરંતુ સાથે સાથે તેમણે અરવિંદ કેજરીવાલની ટીકા પણ કરી. અણ્ણાએ જણાવ્યું કે કેજરીવાલ ભટકી ગયા છે અને હવે તેમને લાગે છે કે તેઓ વડાપ્રધાન બની શકે છે.
અણ્ણા હઝારેએ અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું કે નવી સરકારે ભવિષ્ય માટે એક આશાજનક તસવીર લોકોની સામે રાખી છે. એનાથી એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે. તેમણે જણાવ્યું કે હાલમાં ગઠિત 'અસલી આઝાદી અભિયાન' આવનારા 4થી 6 મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ પર નીકટતાથી નજર રાખશે. તેમણે શરત રાખી કે જો એનડીએની સરકાર પણ જો લોકોને કરેલા વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા તો દેશભરમાં આંદોલન કરીશું.
અણ્ણાએ વડાપ્રધાનના એ નિર્દેશના વખાણ કર્યા જેમાં તેમણે પોતાના મંત્રીઓને જણાવ્યું કે સંબંધીઓને પીએ ના બનાવો. અણ્ણાએ જણાવ્યું કે મોદીના નિર્ણયોને જોવાથી એવું લાગી રહ્યું છે કે તેમની પાસે વિઝન છે. અણ્ણાએ જણાવ્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર 'ખિચડી' સરકારના મુકાબલે વ્યાપક રીતે દેશમાં વિકાસના કામ કરાવી શકે છે.
અણ્ણાએ આશા વ્યક્ત કરી છે કે દેશમાં સુશાસન આવશે. તેમણે જણાવ્યું કે આવી હાલતમાં સરકારે પહેલી વાર બ્લેક મની પર એસઆઇટીનું ગઠન કરી સારો સંકેત આપ્યો છે. આ પહેલાની યુપીએ સરકાર આવું કરી શકી નહીં. આવું લગભગ એટલા માટે બન્યું કે તે સરકારના મંત્રી જ ઘણા વધારે સ્કેમમાં સામેલ હતા. અણ્ણાના કહેવા પ્રમાણે મોદીને જીત તેમની પ્રતિભા અને બોલવાની ક્ષમતાના કારણે મળી છે. અણ્ણાએ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે મને ખબર હતી કે બનારસમાં મોદીની સામે કેજરીવાલ ટકી શકશે નહીં. કેજરીવાલને જ્યારે જનતાએ વોટ આપીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા તો તેમને લાગ્યું કે દેશના વડાપ્રધાન પણ બનાવી દેશે. તેઓ સંપૂર્ણ રીતે ભટકી ગયા છે.
વાંચો અણ્ણાનો મોદી પર પ્રેમ અને કેજરીવાલ પર પ્રહાર...

સારા દિવસો આવવાના છે
અણ્ણા હઝારેએ જણાવ્યું કે નવી સરકારે ભવિષ્ય માટે એક આશાજનક તસવીર લોકોની સામે રાખી છે. એનાથી એવું લાગી રહ્યું છે કે સારા દિવસો આવવાના છે.

તો દેશભરમાં આંદોલન કરીશું
તેમણે જણાવ્યું કે હાલમાં ગઠિત 'અસલી આઝાદી અભિયાન' આવનારા 4થી 6 મહિના સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ પર નીકટતાથી નજર રાખશે. તેમણે શરત રાખી કે જો એનડીએની સરકાર પણ જો લોકોને કરેલા વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા તો દેશભરમાં આંદોલન કરીશું.

મોદી પાસે વિઝન છે
અણ્ણાએ વડાપ્રધાનના એ નિર્દેશના વખાણ કર્યા જેમાં તેમણે પોતાના મંત્રીઓને જણાવ્યું કે સંબંધીઓને પીએ ના બનાવો. અણ્ણાએ જણાવ્યું કે મોદીના નિર્ણયોને જોવાથી એવું લાગી રહ્યું છે કે તેમની પાસે વિઝન છે. અણ્ણાએ જણાવ્યું કે પૂર્ણ બહુમત વાળી સરકાર 'ખિચડી' સરકારના મુકાબલે વ્યાપક રીતે દેશમાં વિકાસના કામ કરાવી શકે છે.

યુપીએ સરકાર આવું કરી શકી નહીં
અણ્ણાએ આશા વ્યક્ત કરી છે કે દેશમાં સુશાસન આવશે. તેમણે જણાવ્યું કે આવી હાલતમાં સરકારે પહેલી વાર બ્લેક મની પર એસઆઇટીનું ગઠન કરી સારો સંકેત આપ્યો છે. આ પહેલાની યુપીએ સરકાર આવું કરી શકી નહીં. આવું લગભગ એટલા માટે બન્યું કે તે સરકારના મંત્રી જ ઘણા વધારે સ્કેમમાં સામેલ હતા.

મોદીને જીત તેમની બોલવાની ક્ષમતાથી મળી
અણ્ણાના કહેવા પ્રમાણે મોદીને જીત તેમની પ્રતિભા અને બોલવાની ક્ષમતાના કારણે મળી છે.

કેજરીવાલ ભટકી ગયા છે
અણ્ણાએ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું કે મને ખબર હતી કે બનારસમાં મોદીની સામે કેજરીવાલ ટકી શકશે નહીં. કેજરીવાલને જ્યારે જનતાએ વોટ આપીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા તો તેમને લાગ્યું કે દેશના વડાપ્રધાન પણ બનાવી દેશે. તેઓ સંપૂર્ણ રીતે ભટકી ગયા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
