ડ્રોન એટેક બાદ જમ્મુ એરફોર્સ સ્ટેશન ઉપર લગાવાઇ એન્ટી ડ્રોન સિસ્ટમ, જામર કરાયા ઇંસ્ટોલ
શનિવારે રાત્રે જમ્મુના એરબેઝ પર બે ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ પછી રવિવારે રાત્રે જમ્મુના કાલુચક લશ્કરી બેઝ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા હતા. દેશમાં પહેલીવાર, આતંકવાદીઓ દ્વારા સંરક્ષણ પ્રતિષ્ટાનોને લક્ષ્યા
શનિવારે રાત્રે જમ્મુના એરબેઝ પર બે ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ પછી રવિવારે રાત્રે જમ્મુના કાલુચક લશ્કરી બેઝ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા હતા. દેશમાં પહેલીવાર, આતંકવાદીઓ દ્વારા સંરક્ષણ પ્રતિષ્ટાનોને લક્ષ્યાંક બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન હુમલા બાદ સરકારે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે. આ તાજેતરના હુમલા બાદ જમ્મુના ભારતીય વાયુ સેના સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં જામર પણ લગાવવામાં આવ્યા છે, જેથી ડ્રોન આવે તો પણ તેનો સંપર્ક ખોવાઈ જાય. નવા ડ્રોન ખતરા માટે સિસ્ટમ વધારી દેવામાં આવી છે. જમ્મુના સ્ટેશન પર એક રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્ટર સ્થાપિત કરાયુ છે. આ સિવાય એન્ટી ડ્રોન ગન પણ તૈનાત કરી દેવામાં આવી છે.
27 જૂને જમ્મુ-કાશ્મીરના જમ્મુ બેઝ પર થયેલા ડ્રોન એટેક બાદથી સુરક્ષા દળો એલર્ટ પર છે. ઇઝરાઇલ અને યુરોપમાંથી મેળવેલા સંરક્ષણ ઉપકરણો ડ્રોનની તપાસ માટે લગાવવામાં આવ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, એરફોર્સ સ્ટેશન પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડ્રોન લશ્કરી ગ્રેડના ડ્રોન હોવાની સંભાવના છે. બુધવારે સતત ચોથા દિવસે જમ્મુમાં ત્રણ જુદા જુદા સ્થળોએ ડ્રોન જોવામાં આવ્યા હતા.
બુધવારે વહેલી સવારે જમ્મુના મીરાં સાહિબ, કાલુચક અને કુંજવાણી વિસ્તારોમાં ડ્રોન ફરતા જોવા મળ્યા હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે નોંધનીય છે કે જમ્મુના કુંજવાણી-રત્નુચકમાં સોમવારે રાત્રે પણ ડ્રોન જોવા મળ્યાનું જાણવા મળ્યું હતું. આ સળંગ ત્રીજી વખત અને 24 કલાકમાં બીજી વખત બન્યું કે અહીં ડ્રોન જોવામાં આવ્યું. સોમવારે, ડ્રોનને કાલુચક લશ્કરી સ્ટેશનની નજીક જોવામાં આવ્યું હતું. જે બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ કુંજવાની-રત્નુચકમાં ડ્રોન જોયાના સમાચાર આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રોન એક ઉંચાઇ પર ઉડતુ હતુ અને તેમાં વ્હાઇટ લાઇટ થઇ રહી હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
