આંધ્ર પ્રદેશમાં વધુ 6 નેશનલ હાઈવેને મંજુરી, ઔદ્યોગિક વિકાસને વેગ મળશે
કેન્દ્રએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સબમિટ કરાયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને સ્વીકાર્યા છે અને કામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશમાં વધુ છ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને મંજૂરી આપી છે. સૂચિત નેશનલ હાઈવે હાલના હાઈવેને જોડશે. નવા બનવા જઈ રહેલા આ હાઈવે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે વરદાનરૂપ સાબિત થશે.
કેન્દ્રએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સબમિટ કરાયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને સ્વીકાર્યા છે અને કામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ NHAIને આગામી 30 થી 36 મહિનામાં હાઇવેના નવા સ્ટ્રેચને પૂર્ણ કરવા જણાવ્યું છે. નવા નેશનલ હાઈવે મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની રાજ્ય ધોરીમાર્ગોને પડોશી રાજ્યોમાં હાલના રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડવાની વિનંતીનું પરિણામ છે. તેમની અપીલ રાજ્યને ફળી છે.
આ
હાઈવે
રાજ્યના
ઘણા
જિલ્લાઓને
રાષ્ટ્રીય
ધોરીમાર્ગો
સાથે
સીધા
લિંક
કરશે
અને
માલસામાનની
ઝડપી
અવરજવરને
સરળ
બનાવશે.
કેન્દ્રીય
માર્ગ
પરિવહન
અને
ધોરીમાર્ગ
મંત્રી
નીતિન
ગડકરી
સાથેની
બેઠક
દરમિયાન
મુખ્યમંત્રી
જગન
મોહન
રેડ્ડીએ
રાજ્યના
પછાત
વિસ્તારોને
રાજ્ય
ધોરીમાર્ગો
સાથે
જોડવાની
વાત
કરી
હતી.
ત્યારબાદ
ગડકરીએ
NHAIને
ફિઝિબિલિટી
રિપોર્ટ
હાથ
ધરવા
અને
DPR
સબમિટ
કરવાનો
નિર્દેશ
આપ્યો
હતો.
ત્યારબાદ
NHAI
એ
મુખ્યમંત્રી
દ્વારા
પ્રસ્તાવિત
તમામ
સ્ટેટ
હાઈવેને
નેશનલ
હાઈવે
સાથે
અપગ્રેડ
કરવા
કનેક્ટિવિટીની
ભલામણ
કરી
છે.
હવે
સરકારે
મંજુરી
આપી
દીધી
છે.