હકિકતમાં હોય છે માણસનું લોહી પીનારા પિશાચ? જાણો શું કહે છે વિજ્ઞાન?
તમે ઘણી ફિલ્મોમાં લોકોનું ખુન પીનારા પિશાચ કે પછી નરભક્ષીઓને જોયા હશે. જો કે તમે ક્યારેય એ વિચાર્યુ કે હકિકતમાં આવા પિશાચ હોય છે કે કેમ?
તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના લોકો માને છે કે આ માત્ર કલ્પનાઓ છે પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક સિદ્ધાંત રજૂ કર્યો છે, જે સૂચવે છે કે પિશાચ કોઈ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિકતા છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. બ્રાયન શાર્પલેસે દાવો કર્યો છે કે પિશાચ માનવ લોહી ચૂસે છે તે વાર્તાઓ જૂઠી નથી. તે દાવો કરે છે કે આવા લોકો છે અને કેટલીકવાર તેઓ આપણી આસપાસ રહે છે, જેમના વિશે આપણે પણ જાણતા નથી.
ડૉ. બ્રાયન શાર્પલેસના જણાવ્યા અનુસાર, વેરવોલ્ફ, વેમ્પાયર, ઝોમ્બી જેવા નામ થોડા વિચિત્ર લાગે છે પરંતુ એવા લોકો પણ છે જે રેનફિલ્ડ સિન્ડ્રોમ એટલે કે લોહી ચૂસવાની બીમારીથી પીડાય છે.
આ પ્રકારના રોગમાં દર્દી શારીરિક અને માનસિક સંતોષ માટે લોહી પીવે છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ, દુર્લભ માનસિક વિકાર, ક્લિનિકલ લિકેનથ્રોપીથી પીડિત લોકોને એવું લાગે છે કે તેઓ પિચાશ જેવા બની ગયા છે.
ડૉ.બ્રાયન શાર્પલેસના કહેવા પ્રમાણે, તેઓ એવા ઘણા લોકોને મળ્યા છે જેમને લાગે છે કે તેઓ ઝોમ્બી બની રહ્યા છે અને તેમનું શરીર અંદરથી બગડી રહ્યું છે.
ડો.બ્રાયનને મોનસ્ટર્સ ઓન ધ કોચ નામનું પુસ્તક લખ્યું છે. તેમના મતે, રેનફિલ્ડ સિન્ડ્રોમ એ એક રોગ છે જેમાં લોકો તેમના શરીરની બિન-પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માનવ લોહી પીવે છે. તેમના મતે આવા લોકો જ્યારે રોમેન્ટિક હોય છે ત્યારે પણ તેઓ પોતાના પાર્ટનરનું લોહી પીવે છે.
આ સિવાય કોટાર્ડ સિન્ડ્રોમમાં પણ લોકોને એવો ભ્રમ થવા લાગે છે કે તેઓ મરી ગયા છે અને તેમના શરીરમાં કોઈ નથી. આ પરિસ્થિતિઓમાં, ઘણી વખત તેઓ પોતાને ખૂબ નુકસાન પહોંચાડે છે. બ્રાયનએ તો એવો દાવો પણ કર્યો છે કે આવા લોકો બ્રિટનમાં ફરે છે પરંતુ તેમના વિશે કોઈ જાણતું નથી.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા










Click it and Unblock the Notifications
