જેટલીનો કોંગ્રેસ પર પલટવારઃ ચીનને UNSCમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર
રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેર્યા હતા જેના પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પર પલટવાર કર્યો છે.
ચીને એક વાર ફરીથી જૈશ પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત થવાથી બચાવી લીધા. પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ચીનને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત થવાથી બચાવી લીધા. ચીનના આ પગલા બાદ ભારતમાં રાજકારણ ગરમાયુ છે અને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોદી સરકારની વૈશ્વિક નીતિ પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેર્યા હતા જેના પર કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી પર પલટવાર કર્યો છે.

અરુણ જેટલીએ કહ્યુ કે જવાહરલાલ નહેરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને સીટ આપવાનું સમર્થન કર્યુ હતુ. આના અસલી ગુનેગાર એ જ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર અને ચીન બંને પર અસલી ભૂલ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેટલીએ જવાહરલાલ નહેરુનો મુખ્યમંત્રીઓને 2 ઓગસ્ટ, 1955ના રોજ લખેલા પત્રનો હવાલો આપતા આ વાતો કહી.
જેટલીએ પત્રના અંશોનો ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકા ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લેવા માટે તૈયાર હતુ. પરંતુ તે સુરક્ષા પરિષદમાં ભારતને જગ્યા આપવા ઈચ્છતુ હતુ પરંતુ જવાહરલાલ નહેદુએ ભારતને સુરક્ષા પરિષદમાં સીટ લેવાના પ્રસ્તાવને એમ કહીને ઠુકરાવી દીધુ કે ચીન એક મહાન દેશ છે અને એવામાં તેની જગ્યા લેવી એક પ્રકારની બેઈમાની હશે.
વાસ્તવમાં ચીને જૈશના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવાની રાહમાં રોડુ નાખ્યુ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોણો માર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયા છે. રાહુલે કહ્યુ કે પીએમ મોદી નબળા પ્રધાનમંત્રી છે અને તે જિનપિંગ સામે ઝૂકી ગયા. તમને જણાવી દઈએ કે મસૂદને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર નિર્ણયની થોડી મિનિટ પહેલા જ ચીને વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ પર રોક લગાવી દીધી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
