મુસલમાનોના નરસંહાર માટે સરકાર કોરોનાનો ઉપયોગ કરી રહી છેઃ અરુંધતિ રોય
મુસલમાનોના નરસંહાર માટે સરકાર કોરોનાનો ઉપયોગ કરી રહી છેઃ અરુંધતિ રોય
નવી દિલ્હીઃ લેખિકા અરુંધતિ રોયે દેશમાં ફેલાયેલ કોરોના વાયરસ સંક્રમણને લઈ એવું નિવેદન આપ્યું છે જેના કારમે તે ચર્ચામાં આવી ગઈ છે. એક વિદેશી ન્યૂજ એજન્સીને આપેલ ઈન્ટર્વ્યૂમાં રોયે પીએમ મોદીની તુલના તાનાશાહ હિટલર સાથે કરી. તેમણે કહ્યું કે મોદી સરકાર દેશમાં ફેલાયેલ કોરોના વાયરસ સંક્રમણનો ઉપયોગ હિંદૂ મુસલમાન વચ્ચે તણાવ વધારવાનું કામ કરી રહી છે.

મુસલમાનોને કલંકિત કરવામાં આવી રહ્યા છે
રાયે કહ્યું કે દિલ્હીમાં જે હિંસા થઈ હતી તે મુસ્લિમ વિરોધી કાનૂનના વિરોધને પગલે થઈ. કોવિડ-19ની આડમાં હવે સરકાર યુવા વિદ્યાર્થીઓની ધરપકડ કરી રહી છે. એટલું જ નહિ તમામ વરિષ્ઠ વકીલો, એડિટર્સ, એક્ટિવિસ્ટ, બુદ્ધિજીવિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જર્મનીમાં થયેલ હોલોકૉસ્ટની સરખામણીએ ભારત સાથે કરતા રાયે કહ્યું કે આરએસએસ જેની સાથે મોદીનો સંબંધ છે, જે ભાજપની માતૃ સંગઠન છે, તેનું માનવું છે કે ભારતે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ. તેના લોકો બારતના મુસલમાનોની સરખામણી જર્મનીના યહૂદિઓ સાથે કરી છે. તમે જોઈ તો શકશો કે કોવિડની આડમાં મુસલમાનોને કલંકિત કરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે
લેખિકા અરુંધતિ રાયે કહ્યું કે કોરોના સંકટ વચ્ચે સરકારની કથિત રણનીતિથી એવી સ્થિતિ પેદા થશે, જેના પર દુનિયાએ નજર રાખવી જોઈએ. એટલું જ નહિ રાયે કહ્યું કે હાલાત જાતીય નરસંહાર તરફ આગળ વધી રહ્યા છે. લોકો માત્ર કોરોના જ નહિ બલકે ભુખ, ધૃણા અને નફરતથી લડી રહ્યા છે. રૉયના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે આલોચના થઈ રહી છે.

મૌલાાના સાડ વિરુદ્ધ કેસ નોંધાયો
જણાવી દઈએ અરુંધતિ રોયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તબલીગી જમાતના તમામ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત છે. જમાતના મુખિયા મૌલાના સાડ વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઈડીએ પણ મૌલાના સાડ અને અન્ય વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત મામલા નોંધી લીધા છે. મૌલાના સાદ સહિત અન્ય આરોપીઓ પર વિદેશથી ફંડિંગ લાવવાનો આરોપ છે. એક અધિકારીએ જણાવ્યું કે નિજામુદ્દીન મરકજના હેડક્વાર્ટરને સીલ કરી દેવામાં આવ્યું છે અને કોરોના વાયરસના મામલા મમળ્યા બાદ આ પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરી દીધું છે.












Click it and Unblock the Notifications
