અરવિંદ કેજરીવાલ પર પંજાબમાં આચારસંહિતાના ભંગનો આરોપ, રાજ્ય ચૂંટણી પંચે FIR માટે નિર્દેશ આપ્યા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પંજાબમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંદર્ભમાં પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ વરિષ્ઠ એસપી એસએએસ નગરને કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા વિનંતી કરી છે.

ચંદીગઢ, 19 ફેબ્રુઆરી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પંજાબમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંદર્ભમાં પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ વરિષ્ઠ એસપી એસએએસ નગરને કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે શિરોમણી અકાલી દળે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેમણે રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને અન્ય પક્ષો પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે.

Arvind Kejriwal

મળતી માહિતી મુજબ, શિરોમણી અકાલી દળના ઉપાધ્યક્ષ દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા એક વીડિયોના આધારે રાજ્ય ચૂંટણી પંચના વડા દ્વારા આ નિર્દેશ આપવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ વિપક્ષના નેતાઓને દેશદ્રોહી કહેવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ વિરુદ્ધ આ FIR નોંધવાની સૂચના ચૂંટણીના એક દિવસ પહેલા આપવામાં આવી છે.

અકાલી દળના પ્રવક્તા અર્શદીપ સિંહે કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ જાહેર કર્યો હતો, પરંતુ તે ચૂંટણી પંચ સામે ખોટું પણ બોલ્યા હતા. AAP દ્વારા ગઈ કાલે ફરી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં વિપક્ષી નેતાઓ પર વાંધાજનક નિવેદનો કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચનો આભાર કે જેમણે આ અંગે સંજ્ઞાન લઈ કાર્યવાહી હાથ ધરી છે. અર્શદીપ સિંહે કહ્યું કે તેમણે વિક્રમ સિંહ મજીઠિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા, પરંતુ બાદમાં તે માફી માંગીને બચી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X