કેજરીવાલ: PM મોદી નિયત સારી નથી, રાહુલથી થઇ છે ડીલ?
દિલ્હીના સીએમએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ પહેલા દિવસથી પૈસાનો હિસાબ સાર્વજનિક કરી રાખ્યો છે. બાકી પાર્ટીઓએ પણ આ રીતે પોતાનો હિસાબ બતાવવો જોઇએ.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટબંધી પરના મોદી સરકારના નિર્ણય પર ફરી એક વાર નિશાનો સાંધ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિયતમાં જ ખોટ છે. એટલું જ નહીં કેજરીવાલે રાજનૈતિક પાર્ટીઓના પૈસાને ટેક્સ માંથી છૂટ મળવાની વાતનો પણ વિરોધ કર્યો.

કેજરીવાલે કહ્યું કે જો આમ આદમી પાર્ટીના ઢાઇ લાખ રૂપિયાની તપાસ થાય છે તો રાજનૈતિક પાર્ટીઓના પૈસાની તપાસ કેમ નથી થતી. તેમણે કહ્યું કે હું ઇચ્છું છું કે એક તપાસ કમિટી બને જે રાજનૈતિક પાર્ટીના ખાતાની તપાસ કરી અને તેમના હિસાબ અને લેવડ દેવડની જાણકારી લે. અને તમામ પાર્ટીમાં જમા કરવામાં આવેલા પૈસાનો આ હિસાબ સાર્વજનિક થાય.
પુરાવા હોય તો સાર્વજનિક કરે રાહુલ ગાંધી
દિલ્હીના સીએમએ કહ્યું કે આમ આદમી પાર્ટી પહેલા દિવસથી તેના પૈસાનો હિસાબ સાર્વજનિક રાખી રહી છે. કોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પર બોલતા તેમણે કહ્યું કે જો રાહુલ પાસે નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભષ્ટ્રાચારનો પુરાવો છો તે તેને સાર્વજનિક કેમ નથી કરતા.
શું ડીલ થઇ છે?
વધુમાં કેજરીવાલે કહ્યું કે કાલે રાહુલ ગાંધીનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળવા પહોંચ્યું હતું. તેની તરત પછી તેવી જાહેરાત થઇ કે રાજનૈતિક પાર્ટીઓના પૈસા પર કોઇ રીતનો ટેક્સ નહીં લાગે. જે અયોગ્ય છે. આ પરથી તો તેવું લાગે છે કે રાહુલ અને મોદીની વચ્ચે કોઇ ડીલ થઇ છે.
રાજનૈતિક પાર્ટી પાસે છે સૌથી વધુ કાળું નાણું
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો રાજનૈતિક પાર્ટીઓના પૈસાનો હિસાબ ન રાખવામાં આવ્યો તો તે પોતાના કાળાં નાણાંને સફેદ કરી દેશે. કારણ કે સૌથી વધુ કાળું નાણું તો આ રાજનૈતિક પાર્ટીઓ પાસે જ છે. તેણે કહ્યું કે મોદી સરકાર કાળા નાણાંને વધારવા માટે આ નિર્ણયને લાગુ કરી રહી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
