દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહિ, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવશે આજે
Arvind Kejriwal Bail: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સુપ્રીમ કોર્ટ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર ચુકાદો આપશે. અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કૌભાંડમાં સીબીઆઈની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જામીનની માંગણી કરી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.
સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે ચુકાદો આપશે. અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જામીન નામંજૂર કરવા સામે બે અરજીઓ દાખલ કરી છે.

દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ બાદ એકત્ર કરાયેલા પૂરતા પુરાવાઓને ટાંકીને 5 ઓગસ્ટે તેમની ધરપકડને યથાવત રાખી હતી. CBI દ્વારા 26 જૂને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમને ટ્રાયલ કોર્ટમાંથી જામીન મેળવવાની પણ મંજૂરી આપી હતી. જો કે કેજરીવાલે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મામલો 2021-22 માટે દિલ્હીની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે, જેને હવે રદ કરવામાં આવી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) બંને દાવો કરે છે કે લાઇસન્સ ધારકોને ફાયદો પહોંચાડવા માટે અનિયમિતતા કરવામાં આવી હતી.
EDએ આ કથિત "કૌભાંડ" સંબંધિત મની લૉન્ડરિંગનો કેસ પણ નોંધ્યો છે. આ કેસમાં EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. 12 જુલાઈના રોજ તેમને મની લૉન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.
5 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન કેજરીવાલે સીબીઆઈની એ દલીલનો વિરોધ કર્યો હતો કે તેમણે પહેલા ટ્રાયલ કોર્ટમાંથી જામીન માંગવા જોઈએ. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કેજરીવાલની દલીલોની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટના આગામી નિર્ણય અંગે આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમે અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ "ધરપકડની જરૂરિયાત" સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નોને વિસ્તૃત તપાસ માટે મોટી બેંચને મોકલ્યા છે. આ મોટી બેંચ આદર્શ રીતે પાંચ જજોની હોય છે.
હાઈકોર્ટે નોંધ્યુ કે કેજરીવાલ વિરુદ્ધ પુરાવા એટલા મજબૂત છે કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ વાજબી છે. કોર્ટે કહ્યું કે એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે તેમની અટકાયત ન તો ગેરવાજબી કે ગેરકાયદેસર નથી.












Click it and Unblock the Notifications
