Arvind Kejriwal Bail : CBI ને આડે હાથ લેતા સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા, જાણો શું કહ્યું કોર્ટે?
Arvind Kejriwal Jamin : દિલ્હી લીકર પોલીસી કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પર આકરી ટિપ્પણી કરતા અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે.
અરવિંદ કેજરીવાલને જામીન આપવા સાથે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર પણ આકરી ટિપ્પણી કરી. કોર્ટે સીબીઆઈને તોતા ઈમેજમાંથી બહાર આવવાની સલાહ પણ આપી દીધી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ભૂયાને જે રીતે સીબીઆઈ વિશે ટિપ્પણી કરી તેનાથી સીબીઆઈની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂયાને કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપતી વખતે પોતાનો અલગ અભિપ્રાય આપતા CBIની ટીકા કરી હતી.
જસ્ટિસ ભૂયાને ભારપૂર્વક જણાવ્યું કે CBI એ દેશની મુખ્ય તપાસ એજન્સી તરીકે મનસ્વી રીતે ધરપકડ ન કરતી હોવી જોઈએ. તેના બદલે તેણે પૂર્વગ્રહની કોઈપણ ધારણાને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
જસ્ટિસ ભૂયાને કહ્યું કે, CBI એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટની ધારણાને દૂર કરે અને સાબિત કરે તે નિષ્પક્ષ અને સ્વતંત્ર છે. આ સાથે જસ્ટિસ ભૂયાને અરવિંદ કેજરીવાલની ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા.
જસ્ટિસ ભૂયાને કહ્યું કે, અસહયોગ સ્વ-અપરાધ સમાન ન હોઈ શકે, તેથી આ આધારે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ ગેરવાજબી હતી.
જસ્ટિસ સૂર્યકાન્તનને સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડમાં કોઈ ગેરકાયદેસરતા ન દેખાઈ પરંતુ જસ્ટિસ ભૂયાને તેના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા. જસ્ટિસ ભૂયાને કહ્યું કે સીબીઆઈની કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઈડી દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા જામીનને નિષ્ફળ બનાવવાનો હોવાનું જણાય છે.
તેમણે કહ્યું કે, એવું લાગે છે કે ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા પછી જ CBI એક્શનમાં આવી અને કસ્ટડી માંગી. આવી કાર્યવાહીનો સમય ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કદાચ તેનો ઉદ્દેશ્ય ED કેસમાં મળેલા જામીનને નિષ્ફળ બનાવવાનો છે.
જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે CBI દ્વારા 26 જૂન, 2024 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં હતા.
12 જુલાઈ, 2024 ના રોજ કેજરીવાલને મની લોન્ડરિંગના આરોપમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા, પરંતુ સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના કારણે પછીથી તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
