આખરે જીતીને કેજરીવાલે કરી ધરણા સમાપ્તીની જાહેરાત
નવી દિલ્હી, 21 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે 7.30 વાગ્યે પોતાના બે દિવસના ધરણાની સમાપ્તીની જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે પોતાના આંદલનકારી સાથીઓને સંબોધતા જણાવ્યું કે લેફ્ટેનન્ટ ગવર્નરે બે એસએચઓને રજા પર મોકલી દીધા છે, ત્યારબાદ કેજરીવાલે ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મને એલજીનો પત્ર મળ્યો છે અને તેમણે આ વિષયે એક્શન લેવાનું આશ્વાસન આપ્યું છે, ઉપરાંત માલવિયાના બે એસએચઓને રજા પર મોકલી દેવાયા છે. તેમજ એક મહિલાને સળગાવી દેવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. માટે આ દિલ્હીની જનતાની જીત છે અને આપણી આ લડાઇ ચાલતી રહેશે.













Click it and Unblock the Notifications
